જે 5 સીટ પર અલ્પસંખ્યક MLA ચૂંટાતા તે હવે આ રાજ્યમાં SC-ST માટે અનામત કરી દેવાઈ

આસામમાં 14 લોકસભા અને 126 વિધાનસભા વિસ્તારોના સીમાંકન ડ્રાફ્ટનો ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. વર્ષ 1976 બાદ થઈ રહેલી સીમાંકનની પ્રક્રિયા શુક્રવારે સમાપ્ત થઈ ગઈ. સીમાંકનના અંતિમ ડ્રાફ્ટમાં વિધાનસભા અને લોકસભા ક્ષેત્રોના વિસ્તારોમાં કપાત કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક ક્ષેત્રોને સમાપ્ત કરી દેવામાં આવ્યા છે અને કેટલીક એસેમ્બલી સીટોને SC/ST માટે અનામત કરી દેવામાં આવી છે. અંતિમ સીમાંકન ડ્રાફ્ટ મુજબ, પાંચ વિધાનસભા ક્ષેત્ર જ્યાં હંમેશાં લઘુમતી સમુદાયથી ધારાસભ્ય ચૂંટાય છે, હવે તેમને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત કરી દેવામાં આવી છે.

પાંચ વિધાનસભા સીટો જ્યાં હંમેશાં અલ્પસંખ્યક સમુદાયથી ધારાસભ્યો ચૂંટાતા હતા. તેને હવે SC-ST માટે અનામત કરી દેવામાં આવી છે. તેની સાથે જ ST માટે અનામત સીટોની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે. જ્યારે SC માટે અનામત સીટો 6 થી વધીને 8 થઈ ગઈ છે. તો સીમાંકનના અંતિમ ડ્રાફ્ટનો વિરોધ તેજ થઈ ગયો છે. શનિવારે સત્તાધારી ભાજપની સહયોગી પાર્ટી આસામ ગણ પરિષદ (AGP)ના વરિષ્ઠ નેતા અને આમગુરીના ધારાસભ્ય પ્રદીપ હજારિકાએ ડ્રાફ્ટના વિરોધમાં પાર્ટીના બધા પદો પરથી રાજીનામું આપી દીધું છે. પ્રદીપ હજારિકા આમગુરી મતવિસ્તારમાંથી જીતે છે. નવા સીમાંકનમાં તેને સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત અંતિમ ડ્રાફ્ટ વિરુદ્ધ વિપક્ષી રાયજોર પાર્ટીએ શિવસાગર જિલ્લામાં વિરોધ પ્રદર્શન કર્યું તો ઓલ તિવા સ્ટુડન્ટ્સ એસોસિએશને પણ આદિવાસીઓ માટે મોરીગાંવ સીટ અનામત કરવાની માગ પૂરી ન થવા પર પ્રદર્શન કર્યું છે. લોકસભા અને વિધાનસભાની સીટોમાં બદલાવ કરવામાં આવ્યો નથી. અંતિમ સીમાંકન ડ્રાફ્ટ મુજબ, નીચલા આસામના સૌથી જૂના જિલ્લા ગોલપારામાં ઘણા સ્વદેશી પરિવાર ચૂંટણી લડવાનો પોતાનો અધિકાર ગુમાવી દેશે. કેમ કે આ ગેર-આદિવાસી પરિવારોને અનુસૂચિત જનજાતિ (ST) અનામત સીટોના વિસ્તારમાં સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા છે.

સીમાંકનની નવી કવાયત મુસ્લિમોને ગોલપારાની ચાર વિધાનસભા સીટોમાંથી 2 પર ચૂંટણી લડતા રોકી દેશે, જે હવે ST માટે અનામત કરી દેવામાં આવી છે. નવી રીતે ખેચવામાં આવેલી સીમાઓ વચ્ચે બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે સેકડો ગેર-આદિવાસી મૂળ લોકોને આ કારણે રાજનૈતિક પ્રતિનિધિત્વ નહીં મળી શકે છે. આરોપ છે કે, આસામમાં ખાસ કરીને નીચલા આસામમાં સીમાંકનનું ઉદ્દેશ્ય કથિત રીતે મુસ્લિમોની ભૂમિકા ઓછું કરવાનું હતું.

મટિયા સર્કલમાં મુસ્લિમ અને હિન્દુ એક-બીજા નજીક રહે છે. પૂર્વી ગોલપારાની 10 પંચાયતોમાંથી લગભગ 5 પંચાયતોને પૂરી રીતે ST અનામત દૂધનોઈ વિધાનસભા સીટ હેઠળ લાવવામાં આવી છે, જ્યારે બાકીને આંશિક રૂપે દૂધનોઈ હેઠળ લાવવામાં આવી છે. બીજી તરફ મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનું કહેવું છે કે, લોકોની માગોને અનુરૂપ અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2021ની ચૂંટણી વાયદામાં પણ સીમાંકન સામેલ હતું.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.