પૂર્વોત્તરના 3 રાજ્યોની ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે, BJPની શું સ્થિતિ છે

પૂર્વોત્તરના 3 રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભા 2023ની ચૂંટણીનું મતદાન થયું હતું, જેના પરિણામાં 2 માર્ચ, ગુરુવારે જાહેર થઇ રહ્યા છે. આ પરિણમોમાં ભાજપ 2 રાજ્યોમાં આગળ ચાલી રહી છે જ્યારે એક રાજ્ય એવું છે જેમાં ભાજપ પછડાટ ખાઇ રહ્યું છે.

 ત્રિપુરામાં વિધાનસભા 2023ની ચૂંટણી માટે મતદાન થયું હતું જ્યારે 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં મતદાન કરવામાં આવ્યું હતું. ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ત્રણેય રાજ્યોમાં  દરેક રાજ્યની વિધાનસભા સીટ 60 છે. મતલબ કે દરેક પાર્ટી રાજ્યોની 60-60 બેઠકો અંકે કરવા માટે ચૂંટણી લડી રહી હતી.

 ચૂંટણી પહેલાની વાત કરીએ તો ત્રિપુરામાં ભાજપની સરકાર છે, નાગાલેન્ડમાં ભાજપ અને NDPPના ગઠબંધનની સરકાર છે. જ્યારે મેઘાલયમાં નેશનલ પીપુલ્સ પાર્ટીની સરકાર છે અને મુખ્યમંત્રી તરીકે કોનરાડ સંગમાં છે.

હવે ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે તેમાં ત્રિપુરામાં ભાજપ બહુમત મેળવે તે સંકેતો મળી રહ્યા છે, કારણકે કુલ 60 સીટોમાંથી લગભગ 34 સીટો પર ભાજપ આગળ છે. જ્યારે નાગાલેન્જમાં પણ ભાજપ અને તેનું NDPP ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ભાજપ મેઘાલયમાં પછડાટ ખાઇ રહ્યું છે. મેઘાલયમાં મુખ્યમંત્રીની પાર્ટી આગળ ચાલી રહી છે. હજુ પરિણામો જાહેર થવાનું ચાલું જ છે, પરંતુ ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપનો હાથ ઉપર રહેશે એવું લાગી રહ્યું છે.

ગુજરાત વિધાનસભા 2022માં ભાજપે ઐતિહાસિક જીત મેળવી તે પછી ભાજપનો આત્મ વિશ્વાસ બુલંદી પર છે. ભાજપે તો આ ત્રણેય રાજ્યો માટે 6 મહિના પહેલાંથી તૈયારી શરૂ કરી દીધી હતી.

નાગાલેન્ડમાં કુલ 60 વિધાનસભા બેઠકો પરથી 32 બેઠકો પર ભાજપ અને તેનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે.

મેઘાલયમાં ચૂંટણીના જે પરિણામાં જાહેર થઇ રહ્યા છે તેમાં અપક્ષ ઉમેદવારો બધી પાર્ટીન ખેલ બગાડી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. મેઘાલય વિધાનસભાની ચૂંટણીમાં  18 બેઠકો પર અપક્ષ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. જેને કારણે સ્થિતિ એ ઉભી થઇ રહી છે કે કોઇ પણ પાર્ટીને બહુમત મળી શકે તેમ નથી. આવા સંજોગોમાં મેઘાલયમાં સત્તા મેળવવા માટે ખેંચતાણ રહેશે એવું લાગી રહ્યું છે. જો આવી સ્થિતિનું નિર્માણ થશે તો તડજોડ કરીને ભાજપ મેઘાલયમાં પણ સત્તા હાસંલ કરી શકે છે. સાંજે બધા પરિણામો જાહેર થયા પછી ખબર પડશે કે ભાજપના હાથમાં 3 રાજ્યો આવે છે કે 2 રાજ્યોમાં સરકાર બનાવીને સંતોષ માનવો પડે છે.

Related Posts

Top News

RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 30મી તારીખે પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી...
Business 
RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરિટ પટેલે એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન કર્યુ છે. આ નિવેદનને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
Politics 
મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનો સામાન્ય માણસ (કોમન મેન) અવતાર ફરી એકવાર સામે આવ્યો છે. એક સમયે ઓટો રિક્ષા ચલાવનારા DyCM ...
National 
DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યા પછી કે મહારાષ્ટ્રમાં નવેમ્બર 2024ની ચૂંટણીમાં 'ગડબડ' ...
National 
રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.