BJPવાળા PM મોદીને ભગવાન કહે છે, એ તાનાશાહી સિવાય કંઇ નથી: મલ્લિકાર્જૂન ખડગે

કર્ણાટકમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ કારણે બધી રાજનીતિક પાર્ટીઓ પોતાની તૈયારીઓને ધાર આપવાની શરૂઆત કરી દીધી છે. જ્યાં ભાજપ આ દક્ષિણ ભારતીય રાજ્યમાં પોતાની સત્તા યથાવત રાખવા માગે છે તો કોંગ્રેસ રાજ્યમાં પોતાની જમીન મજબૂત કરવા લાગી છે. આ કારણે હાલમાં જ અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કર્ણાટકની મુલાકાત લીધી હતી. હવે ત્યાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે પહોંચ્યા છે.

કર્ણાટકના ચિત્રદુર્ગમાં રવિવારે (8 જાન્યુઆરીના રોજ) કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યો હતો. કેન્દ્ર પર સરકારી પદોને ખાલી રાખવાનો આરોપ લગાવતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, 30 લાખ સરકારી પદ ખાલી છે, મોદીજી ભરી રહ્યા નથી, કેમ? આપણે પૂછવું જોઇએ. 15 લાખ નોકરીઓ SC/ST માટે અનામત છે, જો ગરીબોને તેનો લાભ મળે છે તો તેમને (કેન્દ્રઅને) બહાર કરી દેવામાં આવશે. એટલે તેઓ ખાલી પદો ભરી રહ્યા નથી.

ચિત્રદુર્ગમાં એક્યથા સમાવેશ કાર્યક્રમમાં મલ્લિકાર્જૂન ખડગેએ અલગ-અલગ મુદ્દાઓ પર રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. કર્ણાટકમાં વિભાજન ઉત્પન્ન કરવા માટે ભાજપ અને બસવરાજ બોમ્મઇના નેતૃતત્વવાળી સરકારને દોષી ઠેરવતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, કર્ણાટક, તામિલનાડુ અને મહારાષ્ટ્ર બુદ્ધિમાન રાજ્ય છે, જેઓ રાષ્ટ્ર નિર્માણ કરે છે. અહીં કર્ણાટકમાં શું થઇ રહ્યું છે. ભાજપ અને બોમ્મઇએ જાતિ અને ધર્મના નામ પર આપણાં રાજ્યને બરબાદ કરી દીધું છે. આવી રીતે વહેચ્યા આપણને, ભાજપે એ કર્યું.

મલ્લિકાર્જૂન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના સભ્ય મોદીને ભગવાન કહે છે અને તેમને ભગવાન માને છે. એ તાનાશાહ સિવાજ બીજું કશું જ નથી. તેને દૂર રાખવાની જરૂરિયાત છે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ આ અગાઉ શુક્રવારે (6 જાન્યુઆરીના રોજ) રામ મંદિરના ઉદ્દઘાટનની તારીખ જાહેરાત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર સવાલ ઉઠાવ્યો હતો. હરિયાણાના પાનીપતમાં એક રેલીમાં મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે, શું તમે રામ મંદિરના પૂજારી છો, શું તમે રામ મંદિરના મહંત છો?

મહંતો, સાધુઓ અને સંતોને તેની બાબતે વાત કરવી જોઇએ. તમે કોણ છો મંદિરના ઉદ્દઘાટનની વાતો કરનારા? તમે એક રાજનીતિજ્ઞ છો. તમારું કામ દેશને સુરક્ષિત રાખવાનું, કાયદો બનાવી રાખવાનું અને લોકો માટે ભોજન સુનિશ્ચિત કરવાનું અને ખેડૂતોને જરૂરી મૂલ્ય પ્રદાન કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હાલમાં જ જાહેરાત કરી હતી કે અયોધ્યામાં રામ મંદિર 1 જાન્યુઆરી 2024ના રોજ તૈયાર થઇ જશે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.