પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ઘરપકડ, કોંગ્રેસ બોલી- આ તાનાશાહી છે, પહેલા ED..

પવન ખેડાની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરી લેવામાં આવી છે. તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે રાયપુરમાં થનારા કોંગ્રેસના અઘિવેશનમાં સામેલ થવા દિલ્હીથી રાયપુર જઇ રહેલી ફ્લાઇટમાં બેસવાના હતા, પરંતુ તેમને રાયપુર જતા રોકવામાં આવ્યા અને ત્યારબાદ દિલ્હી પોલીસ દ્વારા તેમને કસ્ટડીમાં લઇ લેવામા આવ્યા છે. દિલ્હી પોલીસનો દાવો છે કે, આસામ પોલીસની ભલામણ પર દિલ્હી પોલીસે તેમણે કસ્ટડીમાં લીધા છે.

આસામ પોલીસના IGP પ્રશાંત કુમાર ભૂઇયાંએ જણાવ્યું કે, આસામના દીમાં હસાઓના હાંફલોંગમાં કોંગ્રેસ નેતા પવન ખેડા વિરુદ્ધ કેસ નોંધાયો છે. આ કેસમાં આસામ પોલીસ તેમનો રિમાન્ડ લેવા દિલ્હી રવાના થઈ છે. આસામ પોલીસે દિલ્હી પોલીસને પવન ખેડની ધરપકડની અપીલ કરી હતી. તેમણે સ્થાનિક કોર્ટની મંજૂરી લીધા બાદ આસામ લઈ જવામાં આવશે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ હાલમાં જ વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. તેને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેમની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પવન ખેડા હાલમાં જ અદાણીના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જ્યારે નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકે છે, તો નરેન્દ્ર ‘ગૌતમદાસ’ મોદીને શું પરેશાની છે? જો કે, કોંગ્રેસ નેતાએ પછી પૂછ્યું કે શું તે ગૌતમ દાસ કે દામોદરદાસ છે? આ દરમિયાન પવન ખેડા હસે છે અને તેઓ એમ કહેતા કટાક્ષ કરે છે કે ભલે નામ દામોદર દાસ છે, પરંતુ તેમના કામ ગૌતમ દાસ સમાન છે. ત્યારબાદ એક ટ્વીટમાં પવન ખેડાએ સ્પષ્ટ કર્યું કે, તેઓ વાસ્તવમાં વડાપ્રધાનના નામને લઇને ભ્રમિત હતા.

કોંગ્રેસે પહેલા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આજે IndiGoની ફ્લાઇટ 6E 204થી કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિલ્હીથી રાયપુર જઇ રહ્યા હતા. બધા ફ્લાઇટમાં બેસી ચૂક્યા હતા, એ સમયે અમારા નેતા પવન ખેડાને ફ્લાઇટમાંથી ઉતરવા કહેવામાં આવ્યું છે. આ તાનાશાહી વલણ છે. તાનશાહે અધિવેશન અગાઉ EDના છાપા મરાવ્યા અને હવે આ પ્રકારની હરકત પર ઉતારી આવ્યા.

ઉલ્લેખનીય છે કે, કાલથી કોંગ્રેસનું અધિવેશન છત્તીસગઢની રાજધાનીમાં શરૂ થવા જઇ રહ્યું છે. પવન ખેડાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની ટિપ્પણીને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ ફરી એક વખત સામસામે છે. પવન ખેડા વિરુદ્ધ ભાજપ રસ્તા પર ઉતારીને પ્રદર્શન કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ કોંગ્રેસ વિરુદ્ધ હુમલાવર બન્યા છે. પવન ખેડાના આ નિવેદન બાદ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ વર્ષ 2024માં દૂરબીનથી જોતા પણ નજરે નહીં પડે. એટલું જ નહીં ભાજપે પવન ખેડા વિરુદ્ધ ફરિયાદ પણ કરી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.