BJP નેતાઓને PM મોદીની સલાહ, મુસ્લિમ સમાજ માટે ખોટા નિવેદનો ન કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને સંબોધી હતી. PM મોદીએ કહ્યું કે આ અમૃત કાળને કર્તવ્યકાળમાં ફેરવો, તો જ આપણે દેશને આગળ લઈ જઈ શકીશું. ભાજપ માત્ર રાજકીય આંદોલન નથી. તે સામાજિક ચળવળમાં પરિવર્તિત થઈ ગયું છે. એ જ રીતે આપણા કાર્યકરોએ પણ કામ કરવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના બીજા દિવસે સંબોધન કર્યું. PM મોદીએ ભાજપ નેતાઓને આપી સલાહ અને કહ્યું કે,મુસ્લિમ સમાજ વિશે ખોટા નિવેદનો ન કરો. તેમણે કહ્યું કે પસમાંદા અને બોરા સમાજને મળવું જોઇએ. કાર્યકરો સાથે સવાંદ જાળવી રાખવો પડશે. તેમણે કહ્યું કે, સમાજના બધા વર્ગના લોકો સાથે મુલાકાત કરો, ભલે પછી તેઓ મત આપે કે ન આપે, પરંતુ તેમની મુલાકાત કરવી જરૂરી છે. પાર્ટીના કેટલાંક લોકોને હજુ પણ એવું લાગે છે કે આપણે વિપક્ષમાં છે. પાર્ટીના કેટલાંક લોકોએ મર્યાદિત ભાષો બોલવી જોઇએ.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ PM મોદીએ રાજસ્થાન અને છત્તીસગઢના કાર્યકર્તાઓને કહ્યું કે વધુ પડતા આત્મવિશ્વાસના કારણે ચૂંટણી હારી ગયા હતા.દરેક વ્યક્તિએ વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું જોઈએ. દરેક વ્યક્તિએ સખત મહેનત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે  PM મોદી આવશે, જીતી જઇશું એનાથી હવે કામ નહીં ચાલે.એવું. દરેક વ્યક્તિએ સંવેદનશીલ બનવાની જરૂર છે. સત્તામાં રહેલા લોકોએ એવું ન વિચારવું જોઈએ કે તેઓ કાયમી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકરોને એક ટાસ્ક સોંપ્યું છે. તેમણે કહ્યુ કે, બોર્ડરની નજીકના ગામડાઓમાં સંગઠનને મજબુત કરવામાં આવે. મહેનત કરવામાં પીછે હઠ કરવાની નથી. લોકસભાની ચૂંટણીમાં 400 દિવસ બચ્યા છે. પુરી તાકાતથી મંડી પડજો.

 PM મોદીએ કહ્યું કે ભારતના જીવનનો શ્રેષ્ઠ સમય આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, મહેનત કરવામાં પાછળ ન રહો. પ્રયત્નોની પરાકાષ્ઠા કરો. તમારે અલગ-અલગ જગ્યાએ જવું પડશે અને લોકોને મળવું પડશે. રાષ્ટ્રવાદની જ્યોત સર્વત્ર સળગવી જોઈએ.

તેમણે કહ્યું કે ચૂંટણીમાં પુરી તાકાત લગાવો. આપણે સખત મહેનતમાં પાછળ પડવાની જરૂર નથી. મોદીએ કહ્યું કે ભાજપ હવે માત્ર રાજકીય આંદોલન નથી રહ્યું. સામાજિક આંદોલનમાં બદલાવવું જોઇએ.

ભાજપની કાર્યકારિણીની બેઠક પછી મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, PM મોદીનું ભાષણ કોઈ નેતા જેવું નહીં, પરંતુ રાજકારણી જેવું હતું. તેમણે દેશને પક્ષથી ઉપર રાખ્યો. વડાપ્રધાને કહ્યું કે આપણે કેવી રીતે ખરાબ શાસનમાંથી સુશાસન તરફ આવ્યા છીએ, આપણે આ સંદેશ યુવાનો સુધી પહોંચાડવાનો છે. આપણે સમાજના તમામ ભાગો સાથે સંવેદનશીલતા સાથે જોડવાનું છે. ભાજપે મતની ચિંતા કર્યા વિના દેશ અને સમાજને બદલવાનું કામ કરવાનું છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.