સેંથામાં સિંદૂર પૂર્યા પછી થોડા જ કલાકોમાં વરરાજાનું મોત, કન્યા બેભાન થઈ

બિહારના ભાગલપુરમાં દુલ્હનના સેંથામાં સિંદૂર ભર્યા પછી થોડા સમય બાદ વરનું મોત થઈ ગયું. વરરાજાને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ વરરાજા અને કન્યા પક્ષના પરિવારજનોમાં શોકનો માહોલ છે. જ્યારે, તેના પતિના મૃત્યુના સમાચાર સાંભળીને કન્યા બેહોશ થઈ ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે 2 મેના રોજ પણ વરરાજાની છાતીમાં દુખાવો થયો હતો.

હકીકતમાં, ઝારખંડના પશ્ચિમ સિંહભૂમના રહેવાસી વિનીતના ભાગલપુરની રહેવાસી આયુષી સાથે તેની સગાઇ થઇ હતી. 3 મે 2023ના રોજ લગ્ન કરવાનું નક્કી થયું હતું. વિનીત દિલ્હીની એક ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર હતો અને આયુષી પણ એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરે છે.

બુધવારે (3 મે)ના રોજ, વિનીત જાનૈયાઓ સાથે શહેરના શિતલા સ્થાનના મિરજાનહાટ ચોક ખાતે માતેશ્વરી મેરેજ હોલમાં પહોંચ્યા હતા. જયમાલા, ફોટો સેશન અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવી હતી. ગુરુવાર (4 મે) સવારે સિંદૂરદાન થયું. વિનીત બાથરૂમ ગયો હતો. ત્યાંથી આવતાં જ તેને છાતીમાં સખત દુખાવો થયો અને તે બેહોશ થઈને જમીન પર પડી ગયો. સ્થળ પર હાજર લોકોએ વિનીતને જગાડવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે જાગ્યો નહીં.

પરિવારના સભ્યો વિનીતને તાત્કાલિક માયાગંજ હોસ્પિટલમાં લઈ ગયા. તપાસ બાદ ડોક્ટરોએ વિનીતને મૃત જાહેર કર્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર વિનીતને હાર્ટ એટેક આવ્યો હતો.

વિનીત અને 25 વર્ષની આયુષીના લગ્ન ભાગલપુરના માતેશ્વરી વિવાહ ભવનમાં થયા હતા. આખી રાત આનંદ ઉત્સાહમાં વીતી ગઈ. વરમાળાથી સિંદૂરદાન સુધી વર-કન્યા અને તેમના સંબંધીઓએ આનંદ માણ્યો. ગુરુવારે 8 વાગ્યાની આસપાસ ચાની રાહ જોઈને બેઠેલા વરરાજા વિનીતને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થયો હતો. પીડાથી ચીસો પાડીને તે ખુરશી પરથી નીચે પડી ગયો. સંબંધીઓ બેભાન વરરાજા વિનીતને માયાગંજ હોસ્પિટલમાં લઈ ગયા. રસ્તામાં જ તેનું મોત થયું હતું.

પરિવારના જણાવ્યા મુજબ, વિનીતને 2 મેના રોજ પણ છાતીમાં દુખાવો થયો હતો. બધાને લાગ્યું કે ગેસની પીડા થઈ રહી હશે, એક ગોળી ખાધા પછી તેને રાહત પણ થઈ. તેથી જ કોઈએ બહુ ધ્યાન આપ્યું નહીં.

વિનીતના મોતના સમાચાર મળતા જ બંને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. લોકો માની શકતા ન હતા કે, વિનીતનું અચાનક મૃત્યુ થયું. બીજી તરફ પતિના મૃત્યુના સમાચાર સાંભળીને આયુષી બેહોશ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ ટ્રેઇની IPS ASP અપરાજિત લોહાન વિવાહ ભવન અને માયાગંજ પહોંચ્યા હતા. તેણે બંનેના પરિવારજનો સાથે વાત કરી અને ઘટના અંગે પૂછપરછ કરી. વરરાજાના મોતની જાણ થતાં બંનેના પરિવારજનો પણ માયાગંજ પહોંચ્યા હતા. વિનીતના પિતા મુકુંદ મોહન ઝાએ માયાગંજમાં પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. પુત્રના મૃત્યુ માટે તેણે કોઈને દોષિત ઠેરવ્યા નથી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

તે વરરાજા બનીને આવ્યો અને તેને લાશ બનીને તેના સાસરેથી વિદાઈ લીધી. તે સોફ્ટવેર એન્જિનિયર હતો અને દિલ્હીમાં પોસ્ટેડ હતો. તેના લગ્ન આયુષી સાથે થયા હતા. આયુષી મૂળ બાંકાના અમરપુરની છે, પરંતુ તેના પિતા છેલ્લા ઘણા વર્ષોથી ઝારખંડના ચાઈબાસામાં રહે છે અને ત્યાં પોતાનું ઘર પણ બનાવ્યું છે. ઘટના બાદ આયુષીની રડી રડીને હાલત ખરાબ થઇ છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.