BJP અધ્યક્ષના આ નિવેદનને લઇને ઓવૈસી બોલ્યા- જોઉ છું તમે શું કરશો

ભારતીય જનતા પાર્ટી (BJP) કર્ણાટકના ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલે બુધવારે ટીપૂ સુલ્તાન સાથે જોડાયેલું એક નિવેદન આપ્યું હતું. નલિનકુમાર કતીલે કહ્યું હતું કે, ટીપૂ સુલ્તાનના બધા અનુયાયીઓને અહીં રહેવાનો હક નથી. તેમને ભગાવીને જંગલોમાં મોકલી દેવા જોઈએ. તેના પર હવે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલ પર પલટવાર કર્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું ટીપૂ સુલ્તાનનું નામ લઈ રહ્યો છું, જોઉ છું તમે શું કરો છો.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલના નિવેદનને લઈને કહ્યું હતું કે, શું કર્ણાટક ભાજપ અધ્યક્ષ નલીનકુમાર કતીલે જે કહ્યું તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહમત છે? તે હિંસા, હત્યા અને નરસંહારની ખુલ્લી જાહેરાત છે. શું કર્ણાટકમાં ભાજપ સરકાર તેમની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે? અસદુદ્દીન ઓવૈસીએ તેને નફરત ફેલાવનારું નિવેદન કહી દીધું છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ઉત્તર પ્રદેશ સરકાર પણ પ્રહાર કર્યો હતા.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની રાજનીતિ કારનારાઓએ માતા-પુત્રીનો જીવ લઈ લીધો. તેઓ બુલડોઝરથી સરકાર ચલાવવા માંગે છે, સંવિધાનથી નહીં. આ બધુ કરવાથી તેમને રાજનૈતિક રૂપ કંઈ હાંસલ થવાનું નથી. તેઓ તેલંગાણા (વિધાનસભાની ચૂંટણી 2023)માં નિષ્ફળ રહેશે. કર્ણાટકના ભાજપ અધ્યક્ષ નલિનકુમાર કતીલે કહ્યું હતું કે, અમે ભગવાન રામ અને હનુમાનના ભક્ત છીએ. અમે ટીપૂ સુલ્તાનના વંશજ નથી, અમે તેમને વંશજોને પાછા મોકલી દીધા.

તેમણે કહ્યું હતું કે, હું યેલ્બુર્ગોના લોકોને પૂછું છું કે, શું તમે હનુમાનની પૂજા કરો છો કે ટીપૂ સુલ્તાનના ભજન ગાઓ છો? શું તમે ટીપૂ સુલ્તાનના ભજન ગાનારા લોકોને ભગાવશો? તો વિચારો કે આ રાજ્યમાં ટીપૂ સુલ્તાનના વંશજ જોઈએ છે કે ભગવાન રામ અને હનુમાનના ભક્તો. હું હનુમાનની ભૂમિ પર પડકાર આપું છું કે ટીપૂ સુલ્તાનને પ્રેમ કરનારા અહીં ન રહે, જે લોકો ભગવાન રામના ભજન ગાય છે અને ભગવાન હનુમાનને માને છે તેમને અહીં રહેવાનો અધિકાર છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.