ભાજપના ધારાસભ્યએ વિધાનસભામાં કહ્યું- 'મણિપુરથી કોઈ ફરક નથી પડતો'

મણિપુર મહિનાઓથી સળગી રહ્યું છે અને દેશભરમાં તેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ રાજકારણીઓ મણિપુરના  મામલે પોતાનો રાજકીય રોટલો શેકવાથી ઉંચા આવતા નથી. દિલ્હી વિધાનસભામાં ગુરુવારે મણિપુરના મુદ્દા પર ભારે હંગામો મચી ગયો હતો.

દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રના બીજા દિવસે મણિપુર હિંસા પર ચર્ચા શરૂ થાય તે પહેલા ભાજપના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે મણિપુરથી કોઈ ફરક નથી પડતો. આ દિલ્હીની બહારનો મામલો છે. દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર રાખી બિરલાએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.આ સાથે AAP નેતાઓએ પણ ભાજપના ધારાસભ્યોની આકરી નિંદા કરી છે.

ભાજપના ધારાસભ્યના આ નિવેદન પર આપ નેતા ગોપાલ રાયે કહ્યું કે મણિપુર છેલ્લા 100 દિવસથી વધુ સમયથી હિંસાની આગમાં સળગી રહ્યું છે અને ભાજપના નેતાઓ ગૃહમાં કહે છે કે, 'મણિપુરથી અમને કોઈ ફરક નથી પડતો'. ભાજપ આટલી સંવેદનહીન કેમ બની ગઈ? આજે મણિપુરમાં કોઈને ખબર નથી કે તેના પુત્રની હત્યા ક્યારે થશે, દિકરીની ઇજ્જત ક્યારે જશે અને ભાજપના ધારાસભ્ય કહે છે કે મણિપુર માયને નહીં રખતા.

ગોપાલ રાયએ આગળ કહ્યુ કે, આ સાથે ભાજપના મોટા નેતાઓ અને વડાપ્રધાને પણ આ અંગે મૌન સેવ્યું હતું. ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે મણિપુરનો મુદ્દો દિલ્હીની બહારનો મામલો છે, તો  તેમને જણાવી દઈએ કે દિલ્હી દેશની રાજધાની છે અને કાશ્મીરથી લઈને દરેક મુદ્દા પર દિલ્હીમાં ચર્ચા થઈ છે.

દિલ્હી વિધાનસભામાં દિલ્હીનામ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક  અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના ધારાસભ્યો કહી રહ્યા છે કે મણિપુરથી તેમને કોઈ ફરક નથી પડતો અને વિધાનસભા છોડીને ચાલ્યા ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ છે કે તેમને મણિપુર સાથે કોઈ લેવાદેવા નથી. મણિપુરના લોકોના હૃદય પર શું વીતિ રહી હશે. તેમણે કહ્યું કે મણિપુરની ઘટના પર વડાપ્રધાન મૌન છે.

મણિપુર મુદ્દે ગૃહમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ચાર ધારાસભ્યોને માર્શલ દ્વારા દિલ્હી વિધાનસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. મણિપુર મુદ્દે દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો ચાલી રહ્યો છે. ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની સરકાર વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.