સિસોદિયાને મારવાનું ષડયંત્ર રચી રહ્યા છે કેજરીવાલ? જાણો મનોજ તિવારીએ શું કહ્યું

દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ છે. એવામાં આમ આદમી પાર્ટી (AAP)એ હાલમાં જ એવો દાવો કર્યો હતો કે, જેલમાં મનીષ સિસોદિયાની હત્યા કરાવી શકાય છે. આમ આદમી પાર્ટીના નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ મનોજ તિવારીનું નિવેદન સામે આવ્યું છે. મનોજ તિવારીએ કહ્યું કે, દિલ્હીની જેલો દિલ્હી સરકારને આધીન આવે છે એટલે કે અરવિંદ કેજરીવાલને આધીન. મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલના ઘણા રહસ્ય જાણે છે.

મનોજ તિવારીએ કહ્યું કે, તેમના પોતાના સહયોગી મનીષ સિસોદિયાને જેલની અંદર જીવનું જોખમ કઈ રીતે હોય શકે છે? શું અરવિંદ કેજરીવાલ મનિષ સિસોદિયા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે? શું અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા મારવાનું ષડયંત્ર રચી રહ્યા છે? કેમ કે તેઓ તેમના રહસ્યોને ઉજાગર કરી શકે છે? એવી ધારણાઓ બનાવવામાં આવી રહી છે કે, મનીષ સિસોદિયાને ભાજપથી જોખમ છે. હું જેલ અધિકારીઓને મનીષ સિસોદિયાને સર્વોતમ સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરું છું.

ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, મનીષ સિસોદિયા સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને તિહાડ જેલમાં મનીષ સિસોદિયાની હત્યા થઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલની એ સેલમાં રાખવામાં આવ્યા, જ્યાં સૌથી વધુ ખૂંખાર અને વ્યવસાયી ગુનેગાર બંધ છે. તેમને તેની પાછળ મોટું ષડયંત્ર લાગી રહ્યું છે. મનીષ સિસોદિયાની હત્યા થઈ શકે છે. હોળીના દિવસે તો દુશ્મન ગળે પણ મળી જાય છે, પરંતુ મોદી સરકાર હોળીના દિવસે પોતાના રાજનૈતિક દુશ્મનોની હત્યાની પ્લાનિંગ કરી રહી છે.

સંજય સિંહે જેવા જ આરોપ લગાવ્યા, ત્યારબાદ ભાજપે પણ જવાબ આપ્યો. ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે, મનીષ સિસોદિયાની હત્યાની આશંકા તો તેમને પણ છે, પરંતુ આ હત્યા આમ આદમી પાર્ટી જ કરાવી શકે છે કેમ કે અરવિંદ કેજરીવાલને પોતાના રહસ્ય ખુલવાનો ડર છે અને તિહાડ જેલ પણ દિલ્હી સરકારના અંડરમાં આવે છે. મનોજ તિવારીએ કહ્યું કે, મનીષ સિસોદિયાને તિહાડ જેલમાં હાઇ સિક્યોરિટી મળવી જોઈએ. તો જેલ પ્રશાસને આમ આદમી પાર્ટીના આરોપોનું ખંડન કર્યું છે.

જેલ પ્રશાસનનું કહેવું છે કે, જેલમાં તેમને રાખવાને લઈને લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા છે. તિહાડ જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ, મનીષ સિસોદિયાને તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈને અલગ વોર્ડ આપવામાં આવ્યો છે. જેલ નંબર-1માં ઓછા કેદી હોવાના કારણે મનીષ સિસોદિયાને ત્યાં રાખવામાં આવ્યા છે. સિસોદિયા સાથે બંધ કોઈ પણ કેદી ગેંગસ્ટર નથી અને જેલમાં તેમનો વ્યવહાર સારો છે. એક અલગ સેલ હોવાના કારણે સિસોદિયા ધ્યાન લગાવવા જેવા બીજા કામ કોઈ પણ ડિસ્ટર્બન્સ વિના કરી શકે છે. બધી વ્યવસ્થાઓ જેલના નિયમના હિસાબે કરવામાં આવી, જેથી સિસોદિયાની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.