ઓમ અને અલ્લાહ એક છે, અરશદ મદનીના નિવેદનથી ગુસ્સે થઈ જૈન મુનિ તો સ્ટેજ....

દિલ્હીના રામલીલા મેદાનમાં રવિવારે જમીયત ઉલેમા-એ હિન્દના કાર્યક્રમમાં મૌલાના અરશદ મદનીએ મોહન ભાગવતના નિવેદન પર જવાબ આપ્યો હતો. મૌલાના અરશદ મદનીએ કહ્યું કે, તમારા પૂર્વ હિન્દુ નહીં, મનુ હતા એટલે કે આદમ. ઓમ અને અલ્લાહ એક છે. તેમના આ નિવેદનથી ઘણા ધર્મગુરુઓએ આપત્તિ દર્શાવી અને વિરોધમાં મંચ છોડીને જતા રહ્યા. જમીયત ઉલેમા-એ-હિન્દના પ્રોગ્રામમાં મદની સંઘ પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદનનો જવાબ આપી રહ્યા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમોનાં પૂર્વજ એક જેવા છે.

મૌલાના મદનીના નિવેદનનો જૈન મુનિ લોકેશે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, આ અધિવેશન લોકોને જોડવા માટે થઈ રહ્યું છે. એવામાં આ નિવેદન ક્યાં ઉચિત છે. જૈન મુનિ લોકેશે મંચ પર આ વાત કહી. ત્યારબાદ તેઓ કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા. ત્યારબાદ ઘણા અન્ય ધર્મોના સંતોએ પણ કાર્યક્રમ છોડી દીધો. રિપોર્ટ્સ મુજબ, મદનીએ કાર્યક્રમમાં કહ્યું કે, પયગંબરનું અપમાન મુસ્લિમ મંજૂર નહીં કરે.

મોહમ્મદ સાહેબ વિરુદ્ધ નિવેદન ન આપવા જોઈએ. ભારતમાં અત્યારે શિક્ષણનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે એ ઉચિત નથી. બીજા ધર્મોના પુસ્તક થોપવા ન જોઈએ. એ સંવિધાન વિરુદ્ધ છે. જમીયત ઉલેમા-એ-હિન્દના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના અસદ મદની હતા, તેમનું વર્ષ 2003માં નિધન થઈ ગયું. ત્યારબાદ જમીયતની ઉલેમા-એ-હિન્દની આગેવાનીને લઈને જમીયત ઉલેમા-એ-હિન્દના હાલના ચીફ મહમૂદ મદની પોતાના કાકા મૌલાના અરશદ મદની સાથે વિવાદ થઈ ગયો.

લાંબા ઝઘડા બાદ જમીયત લેમા-એ-હિન્દ બે હિસ્સામાં વહેચાઈ ગયું. એક જૂથની આગેવાની મહમૂદ મદની અને બીજા ગ્રુપની આગેવાની અરશદ મદની કરવા લાગ્યા. બંનેએ પોત પોતાની જમીયત ઉલેમા-એ-હિંદનું રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ લઈ લીધું હતું. જો કે, ગયા વર્ષે બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

જમીયત લેમા-એ-હિન્દના ચીફ મહમૂદ મદનીએ શનિવારે કહ્યું હતું કે, ભારત જેટલું મોદીનું છે, ભાગવતનું છે, એટલું જ મદનીનું પણ છે. અમે RSS અને તેમાં સર સંઘ ચાલકને આમંત્રણ આપીએ છીએ કે, અરસપરસ મતભેદ અને દુશ્મની ભૂલીને એક-બીજાને ગળે લાગીએ અને દેશને દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ બનાવીએ. અમને સનાતન ધર્મથી કોઈ ફરિયાદ નથી. તમને પણ ઇસ્લામથી કોઈ ફરિયાદ ન હોવી જોઈએ. ભાજપ અને RSS સાથે અમારો કોઈ મતભેદ નથી, પરંતુ વૈચારિક મતભેદ છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.