ઔરંગાબાદમાં CM નીતિશ કુમારની સુરક્ષામાં ફરી ચૂંક, ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ ફેકી..

સમાધાન યાત્રા પર નીકળેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર પર લોકોનો ગુસ્સો ઔરંગાબાદમાં ફૂટી પડ્યો. અહીં લોકોનો ગુસ્સો માત્ર વાતો સુધી સીમિત રહ્યો નથી, પરંતુ આ વખત ખુરશીઓ પણ ફેકવામાં આવી. મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે આ ઘટના ત્યારે બની ગઈ, જ્યારે તેઓ સમાધાન યાત્રા દરમિયાન સોમવારે સાસારામ અને ઔરંગાબાદ ગયા હતા. આ પ્રવાસ દરમિયાન ઔરંગાબાદમાં નીતિશ કુમારને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો. ગુસ્સે ભરાયેલા લોકોએ મુખ્યમંત્રી પર પ્લાસ્ટિકની ખુરશીઓ ફેકી દીધી. જો કે, આ હુમલામાં નીતિશ કુમાર માંડ માંડ બચી ગયા.

ગુસ્સે ભરાયેલા એક વ્યક્તિએ એક તૂટેલી ખુરશીનો ટુકડો મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફ ફેકી દીધો. આ ટૂંકડો નીતિશ કુમારની બરાબર નજીકથી પસાર થયો અને થોડે દૂર જઈને પડ્યો. આ દરમિયાન ભારે તણાવની સ્થિતિ થઈ ગઈ. લોકોનો આક્રોશ જોઈને સુરક્ષાકર્મી પણ દંગ રહી ગયા. કોઈક રીતે સ્થિતિને નિયંત્રિત કરવામાં આવી અને લોકોને સમજાવ્યા. ખુરશીનો ટુકડો ફેકવાની જાણકારી મંચ પરથી પણ આપવામાં આવી, પરંતુ કોણે ફેક્યો તેની ઓળખ થઈ શકી નહોતી. ડ્રોન મોનિટરિંગની સ્થિતિમાં જ ફેકનારની ઓળખ થઈ શકે છે, પરંતુ ઘટનાસ્થળ પર ડ્રોન નહોતો.

આ ઘટના પર ઔરંગાબાદ જિલ્લા પ્રશાસન તરફથી સ્પષ્ટીકરણ પણ જાહેર કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, ખુરશીનો ટુકડો મુખ્યમંત્રી તરફ ષડયંત્ર હેઠળ ફેકવામાં આવ્યો નથી. ત્યાં લોકો અતિઉત્સાહમાં નારેબાજી કરી રહ્યા હતા, કેટલાક બાળકો મુખ્યમંત્રીને જોવા માટે ખુરશી પર ચડી ગયા. કદાચ આ જ સ્થિતિમાં ખુરશી તૂટીને તેનો ટુકડો ઊછળી ગયો અને અંદર તરફ આવી ગયો. કહેવામાં આવી રહ્યું છે કે, કાર્યક્રમ બાદ લોકો પોતાની સમસ્યાઓ મુખ્યમંત્રીને સંભળાવવા માગતા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તેઓ મુખ્યમંત્રી પાસે ન જઇ શક્યા.

આ દરમિયાન કોઈએ ગુસ્સામાં આવીને ખુરશીનો ટુકડો ફેક્યો. ઉલ્લેખનીય છે કે, આ પહેલી ઘટના નથી, જ્યારે મુખ્યમંત્રીને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હોય. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સુરક્ષામાં રવિવારે મોટી ચૂક જોવા મળી હતી. પટનાના બખ્તિયારમાં એક કાર્યક્રમ દરમિયાન યુવકે પાછળથી આવીને મુખ્યમંત્રીને મુક્કો લગાવી દીધો હતો. મુખ્યમંત્રીની સુરક્ષામાં ઉપસ્થિત પોલીસકર્મીઓએ યુવકને કસ્ટડીમાં લઈ લીધો હતો. યુવકની ઓળખ બખ્તિયારના શંકરના રૂપમાં થઈ છે. આ અગાઉ 5 ફેબ્રુઆરીના રોજ પણ કટિહારના લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.