PM મોદીએ શશિ થરૂરને કહ્યું- ધન્યવાદ... સંસદમાં હાજર વિપક્ષી દળો પણ હસી પડ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન એક એવી ઘટના સામે આવી જ્યારે સંસદમાં હાજર તમામ સાંસદો હસવાનું રોકી શક્યા નહીં. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરનો આભાર. આ સાંભળીને તમામ સાંસદો હસવા લાગ્યા.

વાસ્તવમાં PM મોદી બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા ત્યારે કોંગ્રેસના તમામ સાંસદો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા. જોકે થોડા સમય બાદ શશિ થરૂર ગૃહમાં પાછા આવ્યા. શશિ થરૂરને જોઈને PM મોદીએ તેમને કહ્યું, 'થેંક યૂ શશિ જી...'. આ સાંભળીને તમામ સાંસદો હસવા લાગ્યા. ભાજપના સાંસદોએ 'હો ગયા કોંગ્રેસ મે બંટવારા'ના નારા લગાવવાનું શરૂ કરી દીધું. જો કે, થોડા સમય બાદ રાહુલ ગાંધી પણ કોંગ્રેસના અન્ય સાંસદો સાથે ગૃહમાં પાછા આવી ગયા.

ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર પ્રહાર કરતા PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના પતન અંગે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં આવ્યો છે. મને ખાતરી છે કે ભવિષ્યમાં માત્ર હાર્વર્ડમાં જ નહીં પણ મોટી યુનિવર્સિટીઓમાં પણ કોંગ્રેસના પતન પર અભ્યાસ થશે. PM મોદીએ આ પ્રસંગે દુષ્યંત કુમારની એક પંક્તિ પણ કહી. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ માટે આ લાઇન ખૂબ જ ફિટ બેસે છે, 'તુમ્હારે પાંવ કે નીચે કોઈ જમીન નહીં, કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીન નહીં.'

PM મોદીએ ચર્ચા દરમિયાન કોંગ્રેસ પર પ્રહારો કર્યા. તેમણે કહ્યું, "છેલ્લી સદીમાં, હું પણ કાશ્મીર ગયો હતો અને આતંકવાદીઓએ પોસ્ટર લગાવ્યા હતા કે - કોણ છે એવું, જેણે માનું દૂધ પીધું છે જે લાલ ચોક પર તિરંગો ફરકાવશે. મેં તે વર્ષે 23મી જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે 26મી જાન્યુઆરીએ હું આવીશ, સુરક્ષા અને બુલેટ પ્રૂફ જેકેટ વિના આવીશ અને ત્રિરંગો ફરકાવીશ…" PM મોદીએ કહ્યું કે કોંગ્રેસના એક નેતાએ પણ થોડા દિવસો પહેલા કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો. તેમણે હવે ફરક સ્પષ્ટપણે દેખાયો હશે.

About The Author

Related Posts

Top News

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.