રાહુલ ગાંધીએ એમ શા માટે કહ્યું- BJP-RSS મારા ગુરુની જેમ, મને સારી ટ્રેનિંગ આપી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત જોડો યાત્રા દેશમાં વધી રહેલી નફરત, ડર અને હિંસા વિરુદ્ધ છે. ભારત જોડો યાત્રા દેશનો અવાજ છે, આ દરમિયાન રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓનો આભાર માન્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, જેટલું તેઓ આક્રમણ કરે છે, એટલી જ આપણને પોઝિશન ઇમ્પ્રૂવ કરવાનો ચાન્સ મળે છે. હું ઇચ્છું છું કે તેઓ થોડો વધુ અગ્રેસિવ એટેક કરે તો તેનાથી કોંગ્રેસ પાર્ટી અને મને ફાયદો થશે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ પ્રકારે હું તેમને પોતાના ગુરુ માનું છું. એક પ્રકારે તેઓ આપણને રસ્તો દેખાડી રહ્યા છે કે શું કરવું જોઇએ અને શું નહીં. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, લોકો પૂછી રહ્યા છે કે, યાત્રા બાદ શું થશે. તેમણે જણાવ્યું કે, મને કાલે કેટલાક લોકો કહી રહ્યા હતા કે આપણે પ્લાનિંગ કરવાની છે કે આગળ શું કરીશું. મેં જવાબ આપ્યો કે, આ જે યાત્રા છે, તે કંઇક બતાવવાનો પ્રયત્ન કરી રહી છે, જો આપણે તેનો અવાજ સાંભળ્યા વિના બીજું કંઇ શરૂ કરી દઇએ તો ભારતના અવાજનું અપમાન થશે.

તો અખિલેશ યાદવ અને માયાવતીને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે, હું જાણું છું કે વિપક્ષના બધા નેતા અમારી સાથે ઊભા છે. તે ચોખ્ખું અમને ખબર છે, પરંતુ આજે ભારતમાં ઘણા પ્રકારના કંપન્સન્સ થાય છે એટલે હું તેના પર કોઇ કમેન્ટ કરવા માગતો નથી. ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે બધા દરવાજા ખુલ્લા છે, કોઇ માટે કોઇ રોક નથી. તેમણે કહ્યું કે, વિચારધારામાં સમાનતા હોય છે, નફરત, હિંસા અને પ્રેમમાં કોઇ સમાનતા હોતી નથી. અખિલેશ અને મયવાતી પ્રેમાળ ભારત ઇચ્છે છે. એ હું જાણું છું કે તેઓ નફરતનું ભારત ઇચ્છતા નથી.

એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી યાત્રાનું લક્ષ્ય ભારતને એક અલ્ટરનેટ આપવાનું છે. આમ તો સરકારની ઘણી ખામીઓ છે, જેમાં બેરોજગારી, ઇકોનોમી મિસમેનેજમેન્ટ, ખોટી GST, નોટબંદી, ચીનને લઇને, પરંતુ અમે હિન્દુસ્તાનનને વિચારવાની અને જીવવાની નવી રીત આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રાહુલ ગાંધીએ અન્ય એક સવાલના જવાબમાં કહ્યું કે, ભાજપવાળાઓ પાસે પૈસા અને ફંડની કોઇ કમી નથી.

તેઓ કેમ્પેઇન ચલાવતા રહે છે. તો રસપ્રદ વાત છે જેના પર હું 100 ટકા વિશ્વાસ કરું છું કે હકીકત કોઇ પણ કેમ્પેઇન નહીં છુપાવી શકે. તેમણે મારી છબી બગાડવા માટે 5-6 હજાર કરોડ લગાવી દીધા હશે, થોડા વધુ લગાવી લે, પરંતુ અસર પડવાની નથી.

About The Author

Related Posts

Top News

મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

કેન્દ્ર સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી અધિનિયમ (મનરેગા)ને ખતમ કરવા અને ગ્રામીણ રોજગાર માટે એક નવો કાયદો લાવવા...
National 
મનરેગા ભૂલી જાવ, ગ્રામીણ રોજગાર પર VB–G Ram G નામનું નવું બિલ લાવી મોદી સરકાર

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'
Copyright (c) Khabarchhe All Rights Reserved.