બાબા રામદેવનો લવ જિહાદ પર દાવો, કહ્યું- બ્રાહ્મણની છોકરી લાવે તો 10 લાખ આપે છે

યોગગુરુ રામદેવ રાજકારણ, લવ જિહાદ, બિઝનેસ એવા અનેક વિષયો પર પોતાના અભિપ્રાય વ્યકત કરતા રહે છે. તાજેતરમા એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ઇસ્લામ, સનાતન, લવ જિહાદ અને વિપક્ષી એકતા જેવા મુદ્દા પર ચર્ચા કરી હતી. જો કે તેમણે કહ્યું કે હવે મેં બોલવાનું ઓછું કરી દીધું છે અને કામ કરવાનું વધારી દીધું છે. સ્વામી રામ દેવે લવ જિહાદ પર કહ્યું કે,ધર્મ કોઈ પણ વ્યક્તિ માટે ધ્રુવીકરણનો વિષય છે. ઘણા લોકો વંશીય, રાજકીય અને સામાજિક રીતે ધ્રુવીકરણ કરી રહ્યા છે. આ લોકો બંધારણીય ગુનો કરી રહ્યા છે.

ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સ્વામી રામદેવે દાવો કરતા કહ્યું હતું કે કેટલાંક લોકો નામ બદલીને લગ્ન કરી રહ્યા છે. બાબાએ કહ્યું કે, જો તમે બ્રાહ્મણના ઘરની છોકરી ભગાડીને લાવો તો 10 લાખ રૂપિયા આપે છે, જો તમે રાજપુત અને OBC વર્ગની દીકરી ભગાડીને લાવો તો 5 લાખ રૂપિયા મળે છે. લગ્ન કરીને પછી કહે છે કે તમે ઇસ્લામની શરણમાં આવી જા, કારણકે તમે બદનામ થઇ ચૂક્યા છો. જો યુવતી વાત નહીં માને તો ટુકટે ટુકડા કરી નાંખવામાં આવે છે. બાબા રામદેવે કહ્યુ કે ધર્મ પરિવર્તન હવે એક ધંધાની જેમ ચાલે છે. અમારા સનાતન ધર્મમમાં કોઇને પણ લાલચ આપીને ધર્મ બદલવાનું કહેવામાં આવતું નથી.

જ્યારે સ્વામી રામદેવને પુછવામાં આવ્યું કે તમે જુદા જુદા મુદ્દા પર કેમ નથી બોલતા? તો બાબાએ કહ્યું કે જ્યારે બોલું છું તો લોકો કહે છે કે, તમે બહુ વાચાળ છો. જ્યારે હું નથી બોલતો તો લોકો કહે છે કે બું મૌન થઇ ગયો છું. આ બધા કારણોને લીધે હવે મેં બોલવાનું ઓછું કરી દીધું છે અને કામ કરવાનું શરૂ કર્યું છે.

મુખ્યમંત્રી નિતીશ કુમારે બિહારના પટનામાં 23 જૂને બોલાવવામાં આવેલી બેઠક વિશે બાબા રામદેવે કહ્યું હતું કે વિપક્ષે હમેંશા સક્રીય રહેવું જોઇએ, તેને કારણે જ લોકતંત્ર જીવતું છે. તેમણે કહ્યું કે, એટલે પક્ષ અને વિપક્ષ મજબુતીથી લડશે, પરંતુ અત્યારે દેખાઇ રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીનો કોઇ મુકાબલો નથી.

શું રાહુલ ગાંધી PM મોદીનો મુકાબલો કરી શકશે? એવા સવાલના જવાબમાં સ્વામી રામદેવે કહ્યું હતું કે હું કોઇનું નામ નથી લઇ રહ્યો. ભારતીય રાજકારણમાં 100 એવા મોટા ચહેરાં છે, જેમને હું વ્યકિતગત રીતે જાણું છું. પરંતુ વિપક્ષ પાસે ક્રાઇસીસ તો છે જ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકારણમાં એક બ્રાન્ડ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.