આ લોકો જજ બદલતા રહ્યા, રાહુલ ગાંધીને સજા મળ્યા પછી કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર

મોદી અટક માનહાનિ કેસમાં સુરતની એકકોર્ટે રાહુલ ગાંધીનો દોષી માનીને 2 વર્ષની સજા સંભળાવી છે. આ કેસમાં રાહુલ ગાંધીને કોર્ટમાંથી તરત જામીન પણ મળી ગયા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પ્રચાર વખતે રાહુલ ગાંધીએ મોદી અટક પર ટીપ્પણી કરીને કહ્યું હતું કે, બધા ચોરોના નામ મોદી કેમ? રાહુલના આ નિવેદન પર સુરતની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે રાહુલને સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલે ટ્વીટ કરીને લખ્યિ કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય જ મારું ભગવાન છે. અહિંસા મેળવવાનું સાધન છે- મહાત્મા ગાંધી.

રાહુલ ગાંધીની સજા પર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે, અમને તો પહેલેથી ખબર જ હતી આ લોકો પહેલેથી જજ બદલતા ગયા હતા. આ બધું કરી રહ્યા હતા એટલે અમને અંદાજો આવી ગયો હતો, પરંતુ અમે કાયદામાં વિશ્વાસ રાખનારા છીએ. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યુ કે, રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીનું નામ નહોતું લીધું. શું મોદી નામ લેવા પર માનહાનિ થઇ જાય?

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું, એ બધાને ખબર હતી. સુરતની કોર્ટે સજા સંભળાવી છે, ષડયંત્ર રચીને જજોને બદલવામાં આવ્યા હતા. ચૂંટણીનો માહોલ હોય તો આવા નિવેદનો અપાતા હોય છે. આવું નિવેદન આપવું એ કોઇ ગુનો નથી. કોઇની માનહાનિ કરવા માટે રાહુલ ગાંધીએ નિવેદન નહોતું આપ્યું. આજે સત્તાધારી પાર્ટી રાહુલ ગાંધની છબિને ખરડવાનો પ્રયાસ કરી રહી છે.

વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા વિવેક તન્ખાએ કહ્યું કે, કોર્ટે એનું કામ કર્યું છે, પરંતુ કોર્ટની કાર્યવાહીથી અમે સંતુષ્ટ નથી. રાહુલ પાસે અપીલ કરવાનો અધિકાર છે. રાજનીતિક ટીપ્પણીઓ રોજે રોજ થતી હોય છે, PM મોદી  પણ ટીપ્પણી કરે છે, બધા જ નેતાઓ નિવેદન આપે છે. મને નથી લાગતું કે આવી સજા થવી જોઇએ. જો આ પ્રકારે સજા કરવામાં આવશે તો અડધી સંસદ જેલમાં જશે. તન્ખાએ કહ્યુ કે, આ કેસમાં 2 વર્ષની સજાને કારણે રાહુલે સાંસદનું પદ ગુમાવવુ નહીં પડે, કારણ કે આમાં કોઇ Ethical Immorality નથી. સામાન્ય રીતે સાંસદનું પદ એવા કેસમાં જાય છે જેમાં તમારો ગુનામાં નૈતિક ભૂલ હોય. આ આવા પ્રકારનો મામલો નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગેર ભાજપ નેતાઓ અને પાર્ટીઓ પર કેસ કરી કરીને તેમને ખતમ કરવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે. અમારા કોંગ્રેસ સાથે મતભેદ છે પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિ કેસમાં ફસાવવા યોગ્ય નથી. જનતા અને વિપક્ષનું કામ છે સવાલ પુછવાનું. કેજરીવાલે કહ્યુ કે અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ આ નિર્ણય સાથે હું અસંમત છું.

બિહારના ભાજપ નેતા સુશીલ મોદીએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું હતું કે, મેં પણ પટના કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ કરેલો છે. મને આશા છે કે સુરત કોર્ટની જેમ બાકીની કોર્ટો પણ આ પ્રકારનો ચુકાદો આપશે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા કિરેન રિજિજૂએ કોર્ટના ચુકાદા પર કહ્યું કે, કોર્ટે સજા સંભળાવી છે તો હું તેના પુરી ડિટેલ્સની જાણકારી મેળવ્યા પછી જ પ્રતિક્રિયા આપું છે. રાહુલ ગાંધી જે કઇ પણ બોલે છે તે આજકાલ એવું થઇ ગયું છે તેને કારણે માત્ર નુકશાન જ થાય છે. માત્ર તેમની પાર્ટીને જ નુકશાન નથી થતુ પરંતુ આ દેશ માટે પણ યોગ્ય નથી. કેટલાંક નેતા અને કોંગ્રેસના સાંસદોએ મને બતાવ્યું કે રાહુલના વલણને કારણે બધું ખરાબ થઇ રહ્યું છે અને તેમની પાર્ટી પણ ડુબી રહી છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.