BJP MPએ કહ્યું- ઈસ્કોન કસાઇઓને ગાયો વેચે છે, સંસ્થાએ મોકલી 100 કરોડની નોટિસ

ભાજપના સાંસદ મેનકા ગાંધીએ થોડા દિવસ પહેલા ઈસ્કોન પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં તેમણે ત્યાં સુધી કહી દીધું હતું કે, ઈસ્કોનવાળા કસાઈઓને ગાયો પણ વેચે છે. આવા ગંભીર આરોપોને ઈસ્કોન મંદિર દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. આ મામલે ઈસ્કોન સંસ્થાએ કાયદાકીય પગલાની પણ તૈયારી કરી લીધી છે અને મેનકા ગાંધીને 100 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે. ઈસ્કોન તરફથી કહેવામાં આવ્યું છે કે, અમારા ભક્તો, સમર્થકો અને શુભચિંતકોનું વૈશ્વિક સમુદાય આ અપમાનજનક, નિંદનીય અને દુર્ભાવનાપૂર્ણ આરોપોથી ખૂબ દુખી છે. અમે ઈસ્કોન સામેના ભ્રામક પ્રચાર વિરુદ્ધ ન્યાયની તલાશમાં કોઈ કસર નહીં છોડીએ.

BJP સાંસદ મેનકા ગાંધીનો આરોપ- ઈસ્કોન ચીટર છે, કસાઇઓને ગાયો વેચે છે

ભાજપા સાંસદ મેનકા ગાંધીએ ઈસ્કોન પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ઈસ્કોન દેશમાં સૌથી મોટા ચીટર છે. કારણ કે, તેઓ પોતાની ગૌશાળાઓમાંથી ગાયોને કસાઇઓને વેચે છે. ભાજપા સાંસદ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ઈસ્કોને ખોટા ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પશુ સંરક્ષણના મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર સતત મુખર રહે છે. વાયરલ થયેલા એક વીડિયોમાં તે કહે છે કે, ઈસ્કોન દેશમાં સૌથી મોટું ચીટર છે. તેઓ ગૌશાળામાં ગાયોને રાખવાના નામ પર વિશાળ જમીન સહિત સરકાર પાસેથી લાભ પ્રાપ્ત કરે છે. પણ તેઓ ગૌશાળાની ગાયોને કસાઇઓને વેચે છે.

મેનકા ગાંધીનું શું હતું આખું નિવેદન

તેમણે કહ્યું કે, હું આંધ્ર પ્રદેશમાં ઈસ્કોનની અનંતપુર ગૌશાળામાં ગઇ હતી. ત્યાં મેં જોયું કે કોઇપણ એવી ગાય નહોતી જે દૂધ ન આપતી હોય કે વાછરડા ન આપતી હોય. આખી ડેરીમાં એકપણ સૂખી ગાય નહોતી. એકપણ વાછરડું નહોતું. તેઓ અર્થ એ છે કે, બધા વેચી દેવામાં આવ્યા હતા. ઈસ્કોન તેની બધી ગાયોને કસાઇઓને વેચી દે છે. ઈસ્કોન તરફથી એવા દાવા થતા રહ્યા છે કે, તેઓ જેટલું કરે છે એટલું કોઇ કરતું નથી. સાથે તેઓ રસ્તા પર હરે રામ હરે કૃષ્ણ ગાતા રહે છે. પછી તેઓ કહે છે કે, તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે. પણ કદાચ કોઇએ પણ આટલી ગાયો કસાઇઓને નથી વેચી જેટલી ઈસ્કોને વેચી છે.

ઈસ્કોન દ્વારા શું કહેવાયું

આરોપોને નકારતા ઈસ્કોનના પ્રવક્તાએ કહ્યું કે, ધાર્મિક સંસ્થા ન માત્ર ભારતમાં પણ વિશ્વ સ્તરે ગાયો અને બળદોની સુરક્ષામાં આગળ રહી છે. તેમની સેવા જીવન ભરની જાતી છે. તેમને કસાઇઓને વેચવામાં આવતા નથી. આરોપો એકદમ ખોટા છે.

ઈસ્કોન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈસ્કોને દુનિયાના ઘણાં ભાગોમાં ગાય સંરક્ષણનો બેડો ઉઠાવ્યો છે. જ્યાં ગૌમાંસ એક મુખ્ય આહાર છે. તે સ્થાનો પર પણ ઈસ્કોન કામ કરી રહ્યું છે. શ્રીમતી ગાંધી એક પ્રસિદ્ધ પશુ અધિકાર કાર્યકર્તા અને ઈસ્કોનના શુભચિંતક છે. માટે અમે આ નિવેદનોથી આશ્ચર્યમાં છે.

ઈસ્કોનના દુનિયાભરમાં ઘણાં મંદિરો અને લાખો ભક્ત છે. થોડા મહિના પહેલા ઈસ્કોન ત્યારે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તેમના એક ભિક્ષુએ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસની ટીકા કરી હતી. ઈસ્કોને ભિક્ષુ અમોઘ લીલા દાસ પર તરત કાર્યવાહી તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.