કોંગ્રેસ જો સત્તામાં રહે તો તે ખાઈ-ખાઈને દેશને ખોખલો કરી નાખે છેઃ PM મોદી

PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 11,125 કરોડના ખર્ચે નિર્મિત અમૃતસર-જામનગર ઇકોનોમિક કૉરિડોરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું લોકાર્પણ, આશરે રૂ. 10,950 કરોડનાં મૂલ્યનાં ગ્રીન એનર્જી કૉરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, પાવર ગ્રિડ દ્વારા આશરે રૂ. 1,340 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારી બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇનનું લોકાર્પણ અને બિકાનેરમાં નવી 30 પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) હૉસ્પિટલનું લોકાર્પણનો સમાવેશ થાય છે. PMએ આશરે રૂ. 450 કરોડના ખર્ચે બિકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને 43 કિલોમીટરની લંબાઈ ધરાવતી ચુરુ-રતનગઢ સેક્શન રેલવે લાઇનને બમણી કરવા માટે શિલારોપણ કર્યું હતું.

PM નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, કોંગ્રેસ એક એવી પાર્ટી છે, જે જો સત્તામાં રહે તો ખાઈ-ખાઈને દેશને ખોખલો કરી નાખે છે અને જ્યારે આ સત્તાથી બહાર જાય છે, ત્યારે દેશને ગાળો આપી-આપીને બદનામ કરે છે. આમના નેતા વિદેશમાં જઈને ભારતને ગાળો આપે છે. આ લોકોએ સેનાને નીચી દેખાવડા શું-શું નથી કર્યું. આ સેનાની સર્જિકલ સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવે છે. રાજસ્થાનમાં કોંગ્રેસની હાર નિશ્ચિત છે. અહિયાની સરકાર અત્યારથી જ બાય-બાય મોડમાં આવી ગઈ છે. મને ખબર પડી છે કે અમુક મંત્રી ધારાસભ્ય તો અત્યારથી જ પોતાના સરકારી બંગલા ખાલી કરીને પોતાના ઘરમાં શિફ્ટ થવા લાગ્યા છે. પોતાની હાર પર આટલો વિશ્વાસ તો કોંગ્રેસના નેતા જ કરી શકે છે.

PMએ કહ્યું હતું કે, રાજ્યના વિકાસ માટે સમર્પિત લોકો હંમેશાં એવી તક પ્રસ્તુત કરે છે, જે તેઓને દેશને વિકાસલક્ષી પરિયોજનાઓ સમર્પિત કરવા માટે પોતાની જાતને ઉપલબ્ધ કરાવે છે. 24,000 કરોડથી વધુની કિંમતની આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા PMએ નોંધ્યું હતું કે, રાજસ્થાનને ગણતરીના મહિનાઓમાં જ બે આધુનિક છ લેનના એક્સપ્રેસવે મળ્યા છે. PMએ ફેબ્રુઆરીમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ કૉરિડોરનાં દિલ્હી- દૌસા– લાલસોટ સેક્શનનાં ઉદ્‌ઘાટનને યાદ કરીને આજે અમૃતસર- જામનગર એક્સપ્રેસવેનાં 500 કિલોમીટરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું ઉદ્‌ઘાટન કરવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, એક રીતે જોઈએ તો નેશનલ હાઈવેની વાત કરીએ તો રાજસ્થાને બેવડી સદી ફટકારી છે. PMએ ગ્રીન એનર્જી કૉરિડોર અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હૉસ્પિટલ માટે બિકાનેર અને રાજસ્થાનના લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

PMએ કહ્યું હતું કે, રાજસ્થાન હંમેશાં ક્ષમતાઓ અને સંભવિતતાઓથી ભરેલું રહ્યું છે. PMએ કહ્યું હતું કે, વૃદ્ધિની આ સંભવિતતાને કારણે જ રાજ્યમાં વિક્રમજનક રોકાણ થઈ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ માટે અનંત સંભાવનાઓ હોવાથી કનેક્ટિવિટીને હાઈ-ટેક બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ફાસ્ટ સ્પીડ એક્સપ્રેસવે અને રેલવેથી પ્રવાસનની તકોને વેગ મળશે, જેનો લાભ રાજ્યના યુવાનોને મળશે.

PMએ કહ્યું હતું કે, તે રાજસ્થાનને હરિયાણા, પંજાબ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સાથે જોડશે, ત્યારે જામનગર અને કંડલા જેવાં મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક બંદરો પણ બિકાનેર અને રાજસ્થાનથી સુલભ બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિકાનેર અને અમૃતસર અને જોધપુર વચ્ચેનું અંતર ઘટશે તેમજ જોધપુર અને ગુજરાત વચ્ચેનું અંતર પણ ઘટશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતો અને વ્યવસાયોને મોટો લાભ થશે. PMએ કહ્યું હતું કે, આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓને મજબૂત કરશે. તેમણે ઓઇલ ફિલ્ડ રિફાઇનરીઓ સાથે વધેલી કનેક્ટિવિટી પર પ્રકાશ પાડ્યો હતો, જે પુરવઠો મજબૂત કરશે, જેથી દેશમાં આર્થિક વિકાસને વેગ મળશે.

તેમણે માહિતી આપી હતી કે 2004-2014ની વચ્ચે રાજસ્થાનને રેલવે માટે દર વર્ષે સરેરાશ 1000 કરોડ રૂપિયાથી ઓછા મળ્યા હતા જ્યારે 2014 પછી, રાજ્યને દર વર્ષે સરેરાશ 10,000 કરોડ રૂપિયા મળ્યા હતા.

PMએ કહ્યું હતું કે, માળખાગત સુવિધાને વેગ આપવાથી સૌથી વધુ લાભ નાના ધંધાર્થીઓ અને લઘુ ઉદ્યોગોને થશે. તેમણે બિકાનેરના આચાર, પાપડ, નમકીનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, વધુ સારી કનેક્ટિવિટી સાથે આ નાના ધંધાઓ તેમનાં ઉત્પાદનોને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવા સક્ષમ બનશે. રાજસ્થાનના વિકાસ માટેના પ્રયાસો ચાલુ રાખતાં PMએ લાંબા સમયથી ઉપેક્ષિત સરહદી ગામડાઓ માટે વાઇબ્રન્ટ વિલેજ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. અમે સરહદી ગામોને દેશનાં 'પ્રથમ ગામો' જાહેર કર્યાં છે. આ વિસ્તારોમાં વિકાસ તરફ દોરી જાય છે અને આ વિસ્તારોની મુલાકાત લેવા વિશે દેશના લોકોમાં નવી રુચિ છે, એમ તેમણે જણાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.