PM મોદીની અપીલની શું અસર? મુસ્લિમોએ BJPની સાથે સરકારમાં ભાગીદારીની માગ કરી હતી

BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં, PM નરેન્દ્ર મોદીએ પક્ષના નેતાઓ અને કાર્યકરોને દરેક નાગરિક સુધી પહોંચવા અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા દેશમાં વધતી જતી પરિસ્થિતિ વિશે માહિતી આપવા જણાવ્યું હતું. આ દરમિયાન તેમનું ધ્યાન મુસ્લિમ સમુદાય પર હતું, ખાસ કરીને પસમાંદા મુસ્લિમો પર. તેમની આ અપીલની અસર મુસલમાનો પર પણ પડી રહી છે. લોકોએ આ માટે PMના વખાણ તો કર્યા છે, પરંતુ સાથ સાથે સલાહ પણ આપી છે.

એક અહેવાલ અનુસાર, બહુમતી મુસ્લિમોએ PM નરેન્દ્ર મોદીની અપીલની પ્રશંસા કરી છે. જો કે, ઘણાએ એમ પણ કહ્યું કે, તેમના આ નિવેદનોને અમલમાં મૂકવાની જરૂર છે. ત્યાર પછી જ તેમની સાચી પ્રશંસા કરી શકાશે.

વરિષ્ઠ વકીલ અને કલેક્ટર બાર એસોસિએશનના ભૂતપૂર્વ સચિવ અમીર અહમદ જાફરીનું એમ પણ કહેવું છે કે, શા માટે PM નરેન્દ્ર મોદી માત્ર પસમાંદા મુસ્લિમોની વાત કરે છે. તેમણે કહ્યું કે તમામ મુસ્લિમોને સાથે લઈને ચાલવું જોઈએ. તેમણે કહ્યું કે, 'નક્કર કાર્ય કરવું, મુસ્લિમોને સરકારી યોજનાઓનો લાભ આપવો અને BJP તેમજ સરકારમાં મુસ્લિમોને પ્રતિનિધિત્વ આપવું તે તેમની જવાબદારી છે. ખાલી ભાષણો કરવાથી કામ નહીં ચાલે.'

જ્યારે, ઇસ્લામિક પીસ એન્ડ ફાઉન્ડેશન ડેવલપમેન્ટના વડા હાજી મોહમ્મદ ઇકબાલે કહ્યું, 'અમે PM મોદીની સકારાત્મક પહેલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. જોકે, તેમણે જે કહ્યું છે, તેનો અમલ થશે કે નહીં તે તો સમય જ કહેશે. ફક્ત આવા નિવેદનોથી કામ નહીં ચાલે.'

હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ રૂબીના અંજુમે તેને રાજકીય નાટક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'એકાએક એવું તે શું થઈ ગયું કે, માત્ર પસમાંદા મુસ્લિમોની જ વાત કરવામાં આવી રહી છે? મુસ્લિમોમાં અન્ય વર્ગો પણ છે, જેમની સ્થિતિ સારી નથી. બંધારણ મુજબ સમાન વ્યવહાર અને મૂળભૂત અધિકારો છે. આવા નિવેદનોથી કંઈ થવાનું નથી. PM મોદીના આ નિવેદન પર વિશ્વાસ થાય તે માટે તેને અમલમાં મૂકવું જરૂરી છે.'

ઈન્ડિયન મુસ્લિમ ડેવલપમેન્ટ કાઉન્સિલના પ્રમુખ સામી અઘાઈએ કહ્યું કે, PM મોદી અને BJP આગામી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, 'જો PM મોદીને મુસ્લિમ સમુદાયના ઉત્થાનની આટલી જ ચિંતા હોય, તો તેમણે સચ્ચર સમિતિને લોકસભામાં લાવીને તેની ચર્ચા કરવી જોઈએ અથવા સમાન સ્તરની યોજના બનાવીને તેનું પાલન કરવું જોઈએ. મુસ્લિમ સમુદાયને સંગઠન અને સરકારમાં સ્થાન આપવું જોઈએ.'

અહીં તમને જણાવી દઈએ કે, દેશમાં અત્યાર સુધી 400 મુસ્લિમ સાંસદ છે, જેમાંથી 60 પસમાંદા સમુદાયમાંથી હતા.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.