કાયદા મંત્રાલય છીનવાઇ ગયા બાદ બોલ્યા કિરેન રિજિજૂ- કોઈ ભૂલ નથી થઈ

કાયદા મંત્રાલય છીનવાઇ ગયાના એક દિવસ બાદ કિરેન રિજિજૂએ શુક્રવારે ભૂ-વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, કેબિનેટમાં ફેરબદલ ચાલતો રહે છે. એવું નથી કે તેમને કોઈ ભૂલના કારણે હટાવવામાં આવ્યા. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચાર છે કે, કોને શું જવાબદારી આપવાની છે. અરુણાચલ પશ્ચિમ લોકસભા સીટથી સાંસદ કિરેન રિજિજૂને વર્ષ 2021માં કેબિનેટ વિસ્તાર દરમિયાન કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા.

તેમની પાસેથી ગુરુવારે કાયદા મંત્રાલય પરત લઈ લેવામાં આવ્યું હતું. હવે તેમને ભૂ-વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ અર્જૂન રામ મેઘવાલને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. એ સિવાય એસ.પી. સિંહ બઘેલનો વિભાગ પણ બદલી દેવામાં આવ્યો છે. હવે તેઓ કાયદા અને ન્યાય મંત્રાલયની જગ્યાએ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી હશે. કિરેન રિજિજૂએ શુક્રવારે પોતાના મંત્રાલયમાં પદભાર સંભાળ્યો.

આ દરમિયાન તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવું છું કે તેમણે મને અવસર આપ્યો. તેના માટે હું આભારી છું. આ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેમની પાસેથી કાયદા મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે. તેના પર તેમણે કહ્યું કે આજે રાજનૈતિક વાત નહીં કરું, પરંતુ મારાથી કોઈ ભૂલ થઈ નથી. ફેરબદલ ચાલતો રહે છે. વિપક્ષનું કામ જ મારી વિરુદ્ધ બોલવું. તેમને બોલવા દો, આ બધી રૂટિન પ્રોસેસ છે. આ અગાઉ ગુરુવારે કિરેન રિજિજૂએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રીના રૂપમાં સેવા કરવાનું સૌભાગ્ય રહ્યું.

હું CJI ડી.વાઇ. ચંદ્રચૂડ, સુપ્રીમ કોર્ટના બધા જજો, હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ અને બધા લૉ અધિકારીઓને આપણાં નાગરિકો માટે કાયદાકીય સેવાઓ પ્રદાન કરવામાં ભારે સમર્થન માટે ધન્યવાદ આપું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને પૂરો કરવા માટે તત્પર છું. એક ભાજપ કાર્યકર્તાના રૂપમાં મેં જે ઉત્સાહ અને જોશ સાથે કામ કર્યું હતું, એવી રીતે ભૂ-વિજ્ઞાન મંત્રાલયની જવાબદારી સંભાળીશ. કિરેન રિજિજૂનો જન્મ 19 નવેમ્બર 1971ના રોજ અરુણાચલ પ્રદેશના વેસ્ટ કામેંગ જિલ્લામાં થયો હતો. તેમની પાસે દિલ્હી યુનિવર્સિટીથી કાયદાની ડિગ્રી છે. તેમણે વર્ષ 2004માં પહેલી વખત લોકસભાની ચૂંટણી લડી હતી અને જીત હાંસલ કરી, પરંતુ વર્ષ 2009માં લોકસભાની ચૂંટણી હારી ગયા.

વર્ષ 2014ની ચૂંટણીમાં કિરેન રિજિજુએ ફરી જીત હાંસલ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેઓ મોદી સરકારના બીજા કાર્યકાળ એટલે કે વર્ષ 2019માં સ્પોર્ટ્સ મિનિસ્ટર (સ્વતંત્ર પ્રભાર) બનાવવામાં આવ્યા હતા. જુલાઇ 2021માં જ્યારે કેબિનેટ વિસ્તાર દરમિયાન તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને રવિશંકર પ્રસાદની જગ્યાએ આ જવાબદારી આપવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.