કોણ છે મોનૂ માનેસર જેના નામ પર ઝઘડી પડ્યા હિન્દુ-મુસ્લિમ, 5 લોકોના મોત

રાજધાની દિલ્હીથી નજીક હરિયાણાના ઘણા વિસ્તાર સોમવારે સાંપ્રદાયિક હિંસાની આગમાં સળગી ઉઠ્યા. નૂહમાં વૃજમંડળ યાત્રા પર પથ્થરમારા બાદ બે સમુદાયો વચ્ચે હિંસા ભડકી ઉઠી. નૂહથી ગુરુગ્રામ સુધી ઠેર ઠેર હિંસા, પથ્થરમારો અને ફાયરિંગ થઈ. હિંસામાં 2 હોમગાર્ડ સહિત 5 લોકોના મોત થઈ ગયા, જ્યારે 12 પોલીસકર્મીઓ સહિત ઘણા લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર છે. હોડલના DSP સજ્જન સિંહના માથામાં ગોળી લાગી છે. તો ગુરુગ્રામ ક્રાઇમ યુનિટના એક ઇન્સ્પેક્ટરને પેટમાં ગોળી લાગી છે.

ઉપદ્રવીઓએ લગભગ 3 ડઝન વાહનોને આગ લગાવી દીધી. નૂહમાં લાંબા સમયથી તણાવ હતો. જો કે, તાત્કાલીન કારણોમાં મોનૂ માનેસરનું નામ પણ લેવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, મોનૂ માનેસરે એક દિવસ અગાઉ જ વીડિયો જાહેર કરીને જાહેરાત કરવામાં આવી હતી કે તે યાત્રામાં સામેલ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ જ તણાવ ફેલાવાનો શરૂ થઈ ગયો હતો. મેવાતથી નજીક રાજસ્થાનના ભરતપુરના નાસિર અને જુનેદ હત્યાકાંડમાં આરોપી મોનૂ માનેસરના મેવાત આવવાના સમાચાર ફેલાતા સોશિયલ મીડિયા પર બંને પક્ષોએ એક-બીજાને પડકાર અને ધમકી આપવાની શરૂ કરી દીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, વીડિયો જોઈને રાજસ્થાનના ભરતપુરના પોલીસ ટીમ મોનૂને પકડવા માટે નૂહ પહોંચી હતી, પરંતુ મોનૂ માનેસર યાત્રામાં પહોંચ્યો નહોતો. વૃજમંડળ યાત્રા ગુરુગ્રામની સિવિલ લાઇનથી શરૂ થઈ હતી અને બપોરે નૂહના ખેડલા વળાંકની આસપાસ પહોંચવા પર હોબાળો થઈ ગયો. આરોપ છે કે યાત્રામાં સામેલ લોકો તરફથી નારા લગાવવામાં આવી રહ્યા હતા. ત્યારે એક ગાડીમાં સવાર બીજા સમુદાયના કેટલાક લોકોએ યાત્રા રોકી દીધી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થઈ ગયો. ઉપદ્રવીઓએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. નૂહ શહેરની અંદર પણ તે ઉપદ્રવ ફેલાઈ ગયો.

કોણ છે મોનૂ માનેસર?

બજરંગ દળનો સભ્ય મોનૂ માનેસર હરિયાણા ખાસ કરીને મેવાત ક્ષેત્રમાં ગૌરક્ષકોનો પ્રમુખ ચહેરો છે. તે પોતાના કેટલાક સાથીઓ સાથે ગૌતસ્કરી રોકવા માટે કામ કરવાનો દાવો કરે છે. ગૌતસ્કરી વિરોધી અભિયાનોને લઈને મોનૂ માનેસર અગાઉ પણ ચર્ચામાં રહ્યો છે. મોનૂનું નામ થોડા મહિના અગાઉ ત્યારે પણ ખૂબ ચર્ચામાં રહ્યું જ્યારે નાસિર અને જુનેદનું અપહરણ કરીને તેમની હત્યાનો આરોપ લાગ્યો. જો કે, મોનૂ માનેસરે કહ્યું હતું કે, દિવસે આ ઘટના થઈ તે ગુરુગ્રામમાં હતો અને તેનું તેની સાથે કોઈ લેવું-દેવું નથી. મોનૂ માનેસર યુટ્યુબ પર પણ ફેમસ છે. તેના ફેસબુક પર 83,000 અને યુટ્યુબ પર 2,05,000 સબ્સ્ક્રાઇબર્સ છે. તે યુટ્યુબ ચેનલ પર મોટા ભાગે ગૌરક્ષા સાથે જોડાયેલા વીડિયો શેર કરે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.