2024મા PM મોદી સામે કોણ? જાણવા માટે થયેલો સરવે CM કેજરીવાલ માટે ઉત્સાહજનક

રાજકીય વર્તુળોમાં તાજેતરમાં ચૂંટણી સર્વેની ચર્ચા છે. સર્વેના પરિણામો દર્શાવે છે કે, તમામ વિરોધ પક્ષોના સંભવિત PM પદના દાવેદારો 2024માં PM નરેન્દ્ર મોદી સામે સ્પષ્ટ રીતે હારી રહ્યા છે. બીજી તરફ CM અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી કરતા થોડો વધારે સ્કોર કરતા જણાય છે. આ સર્વે એવા સમયે થયો છે, જ્યારે એક સામાન્ય સહમતિ બની છે કે, રાહુલની ભારત જોડો યાત્રાએ તેમની છબીને સુધારવામાં મદદ કરી છે.

BJPના પ્રચાર તંત્રએ રાહુલ ગાંધીની 'પપ્પુ' તરીકેની ઇમેજ ઊભી કરી હતી, જેનું સ્થાન હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ અખંડિત અને અદ્ભુત શારીરિક સહનશક્તિ ધરાવતા માણસની છબી સાથે લીધું છે.

લાંબી દાઢી અને T-શર્ટમાં કડકડતી ઠંડીમાં દિવસમાં 20 કિલોમીટરનું અંતર કાપીને, રાહુલ ગાંધીએ તેમની સાથે યાત્રામાં ચાલતા માણસોને ગળે લગાવીને ઘણા નવા ચાહકોના દિલ જીતી લીધા છે.

જો કે, ટીકાકારો માને છે કે રાહુલની છબીમાં આવા પરિવર્તનથી અત્યાર સુધી કોઈ મજબૂત ચૂંટણી લાભો મળ્યો નથી. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ગાયબ હતા. આ એકમાત્ર રાજ્ય છે, જે તાજેતરમાં પાર્ટીએ જીત્યું હતું. નવા સર્વે દર્શાવે છે કે, આ ભારત જોડો યાત્રાએ BJPની કોર વોટબેંકમાં ફાડચાં નથી પડ્યા.

વિરોધ પક્ષો સ્પષ્ટપણે ઈચ્છે છે કે, કોંગ્રેસ સંયુક્ત વિપક્ષનો ભાગ બને. જ્યારે તેલંગાણાના CM K. ચંદ્રશેખર રાવે કોંગ્રેસ સિવાય બિન-ભાજપ પક્ષો માટે લંચનું આયોજન કર્યું, CM નીતિશ કુમારે પોતાની જાતને દૂર કરતા કહ્યું, 'અમને એક મુખ્ય મોરચો જોઈએ છે, ત્રીજો મોરચો નહીં'

જો કોંગ્રેસ 2024માં રાહુલ ગાંધીને મોરચાનો ચહેરો બનાવવાનો આગ્રહ રાખે, તો વિપક્ષી એકતાના પ્રયાસો અટકી શકે છે. TMCના ડેરેક ઓ'બ્રાયન પહેલાથી જ 'ચહેરા વિનાનો મોરચો'નું સૂચન કર્યું હતું. અસરકારક રીતે એક નેતાવિહીન મોરચો, જેમાં વિવિધ રાજ્યોમાં વિવિધ વ્યક્તિઓ PM મોદીનો સામનો કરવા માટે હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ તમામ વરિષ્ઠ વિપક્ષી નેતાઓ રાહુલની ઇમેજ બિલ્ડિંગ યાત્રાથી દૂર રહ્યા છે. તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને હેમંત સોરેન જેવા નજીકના સાથીઓએ પણ તેમના જુનિયરોને પ્રવાસ પર મોકલ્યા છે. અખિલેશ યાદવ, દેવેગૌડા, માયાવતી અને AAP જેવા અન્ય લોકોએ પણ અંતર જાળવી રાખ્યું છે. હવે જોવું એ રહ્યું કે, 30 જાન્યુઆરીએ યોજાનારી યાત્રાના સમાપન માટે 21 વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાંથી કેટલા આવે છે.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.