મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી આપી દીધી હતી. ખેરાએ સાથે સાથે દિવગંત પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઇને પણ લપેટામાં લઇ લીધા હતા. તેમણે કહ્યું કે, મોરારજી દેસાઇને નિશાન એ પાકિસ્તાનની નવાજેશના ગુનાની કિંમત આજે પણ ભારત ભોગવી રહ્યું છે.

મોરારજી દેસાઇને 19 મે 1990ના દિવસે પાકિસ્તાનનું સર્વોચ્ય નાગરિક સન્માન નિશાન એ પાકિસ્તાન એનાયત કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબોધ સુધારવા, કશ્મીર મુદ્દે શાંતિ વાર્તા કરવા, 17 વર્ષ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિક્રેટ મેચ શરૂ કરવા અને લાહોર દિલ્હીની ટ્રેન શરૂ કરવામાં મહત્ત્વના યોગદાન બદલ આ સન્માન અપાયું હતું.

જો કે પવન ખેરાએ કહ્યું કે, મોરારજી દેસાઇને નિશાન પાકિસ્તાન સન્માન એટલા માટે આપવામાં આવ્યું હતું કે, મોરારજી દેસાઇએ પાકિસ્તાનની જિયા ઉલ હકને ભારતના RAW એજન્ટોના ઓપરેશન કહુટા વિશે માહિતી શેર કરી દીધી હતી. જે ઓપરેશન પાકિસ્તાનમાં ન્યુક્લીયર પ્રોજેક્ટ ક્યાં ચાલે છે તેની માહિતી મેળવવા માટે હતું. મોરારજી દેસાઇની માહિતી પછી પાકિસ્તાને ભારતના ભારતના RAW એજન્ટોને શોધી શોધીને ખતમ કરી દીધા હતા.

 

 

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.