યુરોપીયન સંસદમાં મણિપુર હિંસા પર મોદી સરકારની ટીકા, ભારત કહે- અમારો આંતરિક મામલો

યુરોપિયન સંસદે મણિપુર હિંસા અંગે નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી છે. EU સંસદે શક્ય તેટલી વહેલી તકે હિંસા બંધ કરવાની હાકલ કરી છે. ભારત સરકારે આ અંગે EU પર પલટવાર કર્યો છે. છેલ્લા બે મહિનાથી હિંસાનો સામનો કરી રહેલા મણિપુરને લઈને યુરોપિયન યુનિયન (EU)ની બ્રસેલ્સ સ્થિત સંસદમાં બુધવારે એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ભારત સરકારે ફગાવી દીધો છે. ભારત સરકારનું કહેવું છે કે મણિપુરનો મુદ્દો ભારતનો આંતરિક મુદ્દો છે. ભારતનું કહેવું છે કે મણિપુર હિંસા પર ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હોવા છતાં યુરોપિયન સંસદમાં ઠરાવ પર ચર્ચા થઈ રહી છે.

છ સંસદીય પક્ષોએ 12 જુલાઇના દિવસે યુરોપિયન સંસદમાં મણિપુરમાં હિંસા ન રોકવા બદલ મોદી સરકાર અને તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીની ટીકા કરતો ઠરાવ રજૂ કર્યો. ઠરાવમાં હિંસાની નિંદા કરીને EUના ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી કે તેઓ મણિપુરની સ્થિત સુધારવા માટે ભારત સાથે વાત કરે.

મણિપુરમાં 3 મેથી હિંસા ભડકેલી છે અને એમાં લગભગ 142 લોકોના મોત થયા છે અને 54000 લોકો વિસ્થાપિત માટે મજબૂર થયા છે.

ભારતે EUના આ પ્રસ્તાવને સીધો ફગાવી દીધો છે. દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારત સરકારે મણિપુરની સ્થિતિ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને આ અંગે યુરોપિયન સંસદસભ્યો સાથે પણ વાત કરી છે, તેમ છતાં આ પ્રસ્તાવ EU સંસદમાં રજૂ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ કે, આ પુરી રીતે ભારતનો આંતરિક મામલો છે. અમે યુરોપીય સંસદમાં બની રહેલી ઘટનાઓથી વાકેફ છીએ. આ મામલે અમે  સંબંધિત યુરોપીય સંસદના સભ્યોનો સંપર્ક પણ કર્યો છે. અમે તેમને પણ પુરી રીતે સ્પષ્ટ કરી દીધું છે કે, મણિપુર એ ભારતનો આંતરિક મામલો છે. 

યુરોપિયન યુનિયનની સંસદમાં છ સંસદીય જૂથો દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં મણિપુરમાં બે મહિનાથી ચાલી રહેલી હિંસાનો સામનો કરવાની મોદી સરકારની પદ્ધતિઓની ટીકા કરવામાં આવી છે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, અમે આતંકવાદી જૂથોની પ્રવૃત્તિમાં વધારો અને હિંદુ બહુમતીવાદને પ્રોત્સાહન આપતી રાજનીતિ દ્વારા સંચાલિત વિભાજનકારી નીતિઓ અંગે ચિંતિત છીએ. પ્રસ્તાવમાં મણિપુર હિંસાને ધ્યાનમાં રાખીને કર્ફ્યુ અને ઇન્ટરનેટ પર પ્રતિબંધના રાજ્ય સરકારના નિર્ણયની પણ આલોચના કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.