આકાશ ચોપરાએ જણાવ્યું ગુજરાત ટાઈટન્સ આ વખત ટ્રોફી જીતશે કે નહીં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત અગાઉ ગુજરાત ટાઈટન્સ (GT)ને લઈને પૂર્વ ક્રિકેટર અને હાલના કમેન્ટેટર આકાશ ચોપરાએ મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે ગુજરાત ટાઈટન્સને લઈને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. આકાશ ચોપરાના જણાવ્યા મુજબ, ગુજરાત ટાઈટન્સની ટીમ આ વખત IPL ટ્રોફી નહીં જીતી શકે. IPL 2022માં પોતાની પહેલી જ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર રમત દેખાડી હતી અને ટ્રોફી પર પોતાનો કબજો કર્યો હતો.

હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે લીગ સ્ટેજમાં ટોપ કર્યું હતું અને પછી ક્વાલિફાયર-1માં જીત હાંસલ કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ (RR)ને હરાવીને ટ્રોફી પર કબજો કર્યો હતો. જો કે, આકાશ ચોપરાનું માનવું છે કે, આ વખત ગુજરાતની ટીમ એ કારનામાંનું પુનરાવર્તન નહીં કરી શકે. જિયો સિનેમા પર વાતચીત કરવા દરમિયાન આકાશ ચોપરાએ જણાવ્યું કે, મને નથી લાગતું કે ટીમ ફરી IPLની ટ્રોફી જીતી શકશે કેમ કેમ એવું ખૂબ ઓછું જ થાય છે.

તેમણે આગળ કહ્યું કે, માત્ર 2 જ વખત એમ થયું છે. આ ટીમ સારી છે, પરંતુ શું મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના રેકોર્ડનું પુનરાવર્તન કરી શકે છે? હું તેને લઈને 100 ટકા નિશ્ચિત નથી. જો કે, આ ટીમ પાસે એટલી કુશળતા છે કે તે પ્લેઓફ સુધી જરૂર જઈ શકે છે, પરંતુ પ્લેઓફમાં પણ ટીમ ન જઈ શકી તો મને ખૂબ હેરાની થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ટાઈટન્સની પહેલી મેચ આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે 31 માર્ચના રોજ છે. બંને ટીમો વચ્ચે એક શાનદાર મેચ હોય શકે છે. ખેર હવે જોવાનું એ રહેશે કે ગુજરાત ટાઈટન્સ શું ફરી એક વખત ગયા વર્ષની જેમ પ્રદર્શન કરવામાં સફળ થાય છે? જો થાય છે તો શું તે ટ્રોફી જીતી શકશે? એ તો આગમી સમય જ બતાવશે.

IPL 2023 માટે ગુજરાત ટાઈટન્સની ટીમ:

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, રાહુલ તેવતિયા, બી. સાઇ સુદર્શન, દર્શન નાલકંડે, જયંત યાદવ, મોહમ્મદ શમી, પ્રદીપ સાંગવાન, આર. સાઇ કિશોર, શુભમન ગિલ, વિજય શંકર, યશ દયાલ, અલ્જારી જોસેફ, ડેવિડ મિલર, મેથ્યૂ વેડ, નૂર અહમદ, રાશિદ ખાન, શિવમ માવી, કેન વિલિયમ્સન, કે.એસ. ભરત, ઓડિયન સ્મિથ, મોહિત શર્મા, ઉર્વિત પટેલ, જોશુઆ લિટિલ.

About The Author

Related Posts

Top News

શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનો નવો કાયદો રજૂ કર્યો. આ કાયદાનો હેતુ...
Education 
શિક્ષણ મંત્રીએ 'વિકસિત ભારત શિક્ષણ બિલ 2025' નામનું બિલ રજુ કર્યું, જાણો તે કયા ફેરફારો લાવશે અને તેની અંદર કયા વિવાદો છે

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

મંગળવારે ભારે હોબાળા વચ્ચે વિકસિત ભારત-ગેરન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન બિલ 2025 એટલે કે ‘VB-G RAM G’ બિલને લોકસભામાં...
Politics 
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે VB-G RAM G રજૂ કર્યું, કોંગ્રેસ બોલી- ‘ગ્રામ પંચાયતનો અધિકાર છીનવી રહી છે સરકાર’; કેન્દ્રએ આપી આ દલીલ

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.