મને પણ WC રમવાની આશા છે અને હવે મોહમ્મદ આમિર પણ પાછો આવી શકે છે: વહાબ રિયાઝ

ભારતમાં આયોજિત થનારા આગામી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ભાગ લેવા પર અત્યારે પણ સંશય યથાવત છે. અત્યાર સુધી ફેન્સના મનમાં આ સવાલ થઇ રહ્યો હતો કે, બાબર આઝમ એન્ડ કંપની ભારતમાં થનારા 50 ઓવરના ટૂર્નામેન્ટમાં સામેલ થશે કે નહીં? જો પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરે છે તો બધાની નજરો શાહીન શાહ આફ્રિદીની આગેવાનીવાળા તેના બોલિંગ આક્રમણ પર રહેશે.

શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ સિવાય અત્યાર પણ 3 સ્લોટ માટે બાકી બોલરોમાં જબરદસ્ત ફાઇટ જોવા મળી રહી છે. જો કે, આ દરમિયાન પાકિસ્તાનના સીનિયર ફાસ્ટ બોલર વહાબ રિયાઝે પણ એક મોટું નિવેદન આપ્યું છે. એક પાકિસ્તાની ન્યૂઝ સાથે વાત કરતા અનુભવી બોલર વહાબ રિયાઝે કહ્યું કે, મને પણ વન-ડે વર્લ્ડ કપમાં રમવાની આશા છે. બાકી બચેલા સ્લોટ માટે પોતાની પ્રતિસ્પર્ધા તરફ ઇશારો કરતા કહ્યું કે, મોહમ્મદ આમિર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.

આપણને મોહમ્મદ આમિરને ફરી પાકિસ્તાન માટે રમતા દેખાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટા બદલાવ થયા છે. ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મોહમ્મદ આમિર પાકિસ્તાન માટે ફરી રમતો દેખાઇ શકે છે. રમીઝ રાજાના કાર્યકાળમાં મોહમ્મદ આમિરે સંન્યાસ લઇ લીધો હતો અને ખુલ્લેઆમ પોતાની નારાજગી દેખાડી હતી અને કહ્યું હતું કે, તે આ મેનેજમેન્ટ અંડર નહીં રમી શકે.

એવામાં હવે મેનેજમેન્ટ બદલાઇ ગયું છે તો બની શકે કે મોહમ્મદ આમિર પણ પોતાનો નિર્ણય બદલી દે. આ બાબતે આગળ વાત કરતા વહાબ રિયાઝે કહ્યું કે, આપણી પાસે શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ છે, પરંતુ અન્ય 3 જગ્યા અત્યારે પણ ઉપલબ્ધ છે. હસન અલી, શાહનવાઝ દહાની, નસિમ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર જેવા દિગ્ગજ તેના માટે લડી રહ્યા છે. હવે આ લડાઇમાં મોહમ્મદ આમિર પણ પાછો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે 30 વર્ષીય મોહમ્મદ આમિરે ડિસેમ્બર 2020માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ખરાબ વ્યવહારનો સંદર્ભ આપતા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. આ નિર્ણય જુલાઇ 2019માં ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાના તેના નિર્ણય બાદ આવ્યો હતો. તે પાકિસ્તાનની 2019ના વન-ડે વર્લ્ડ કપનો હિસ્સો હતો અને 8 મેચોમાં 17 વિકેટ લઇને સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી પણ બન્યો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.