લંડનથી બાગેશ્વરે ભક્તોને કહ્યુ- ચિંતા ન કરો, બ્રિટનથી કોહિનૂર ડાયમંડ લઇને જ આવીશ

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે ઇંગ્લેંડની રાજધાની લંડનમાં છે અને અહીં તેઓ લોકોને રામ કથા સંભળાવી રહ્યા છે.તેમણે કથા દરમિયાન કહ્યુ કે, મારી પર અનેક લોકોનો ફોન આવી રહ્યા છે કે, બાબા, પાછા ક્યારે આવવાનો છો? ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે એ લોકોને મેં કહ્યું કે  હવે ઇંગ્લેંડમાં જ મન લાગી ગયું છે, ચિંતા નહીં કરો કોહિનૂર ડાયમંડ લઇને જ પાછો આવીશ. ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે પહેલાં અંગ્રેજો આપણા દેશમાં આવીને બોલતા હતા અને આપણા દાદાઓ સાંભળતા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

હવે આપણે ઇંગ્લેંડ આવીને બોલીએ છીએ અને આપણી વાત એ લોકો સાંભળે છે. પરંતુ આ લોકો ખૂબ જ સરસ છે. ઇંગ્લેન્ડ માટે શુભેચ્છા. તમને જણાવી દઈએ કે કોહિનૂર ડાયમંડ માત્ર વિશ્વના સૌથી સુંદર હીરામાંથી એક નથી, પરંતુ કિંમતની દ્રષ્ટિએ તે વિશ્વનો સૌથી મોંઘો હીરો પણ છે.

કોહિનૂર ડાયમંડ 105.6 કેરેટનો છે. કોહિનૂર ડાયમંડ વિશે એવું કહેવામાં આવે છે કે તેને ન તો કોઈએ ખરીદ્યો અને ન તો વેચ્યો તે કાં તો યુદ્ધમાં જીતવામાં આવ્યો હતો અથવા એક શાસક દ્વારા બીજાને ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. આજે કોહિનૂર બ્રિટિશ તાજનું ગૌરવ છે અને તેને લંડનના ટાવરમાં રાખવામાં આવ્યો છે. હાલમાં કોહિનૂર હીરા બ્રિટિશ શાહી પરિવાર પાસે છે.

બાબા બાગેશ્વરની લંડનની રામ કથા પછી 5થી 7 ઓગસ્ટ દરમિયાન મધ્ય પ્રદેશના છીંદવાડામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. છિંદવાડાએ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથનો ગૃહ વિસ્તાર છે. જાણવા મળેલી વિગત મુજબ છિંદવાડાના સિમરિયામાં અંદાજે 25 એકર જમીન ભાડે લેવામાં આવી છે. સિમરિયામાં જ કમલનાથે 108 ફુટ ઉંચી હનૂમાન ભગવાનની પ્રતિમા બનાવેલી છે, જેની સાથે જ એક મંદિર પણ બનાવ્યું છે. આ મંદિરની પાસે જ ધીરેન્દ્ર શાસ્ત્રીની રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ  UP ના ગ્રેટર નોઈડામાં 10 થી 16 જુલાઈ દરમિયાન રામ કથા કરી હતી. આ દરમિયાન તેમણે કેદારનાથમાં રીલ બનાવવા અંગે કહ્યું હતું કે મંદિર, તીર્થસ્થાન અને ગુરુનું સ્થાન. આ પ્રદર્શનનો વિષય નથી. દર્શનનો વિષય છે.ત્યાં તસ્વીરો લેશો નહીં. ભગવાનના ચરિત્રની તસ્વીર ખેંચો. ધર્મસ્થળો પર માણસે તસ્વીરો ખેંચવા ન જવું જોઇએ બલ્કે ચરિત્રના સિંચન માટે જવું જોઇએ એટલા માટે ભક્તોએ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. પરંતુ શ્ર્ધધા માટે રીલ્સ માટે નહીં.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.