બ્રિટનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, ઝડપથી ફેલાઇ રહ્યો છે નવો વેરિયન્ટ

બ્રિટનમાં ફરી એકવાર કોરોના વાયરસે માથું  ઉચક્યું છે. અહીં  એક નવું EG.5.1, જેનું ઉપનામ નામ Eris છે, તેણે આરોગ્ય અધિકારીઓને ચિંતામાં મુકી દીધા છે. EG.5.1 વેરિઅન્ટ Omicron પરથી ઉતરી આવ્યો છે. તે ગયા મહિને યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ વખત મળી આવ્યો હતો અને ત્યારથી દરરોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે.

ન્યૂઝ એજન્સી PTIએ ઈંગ્લેન્ડના આરોગ્ય અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ નવો પ્રકાર EG.5.1 પ્રથમ જૂનમાં શોધી કાઢવામાં આવ્યો હતો અને હવે તે દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, UK હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ અહેવાલ આપ્યો છે કે EG.5.1 નવા સાતમાંથી એક કોવિડ કેસનું કારણ બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને એશિયામાં વધતા કેસોને કારણે UKમાં તેના કેસ વધ્યા પછી 31 જુલાઈએ તેને નવા પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો.

UKHSAએ જણાવ્યું હતું કે EG.5.1 વેરિઅન્ટમાંથી અમે જે જોખમનો સામનો કરી શકીએ છીએ તેના સંકેત અમને 3 જુલાઈ, 2023ના રોજ હોરાઇઝન સ્કેનિંગ મળ્યા હતા. ત્યારથી અમે તેની દરેક ગતિવિધિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. UK ડેટામાં જીનોમની વધતી જતી સંખ્યા અને તમામ દેશોમાં તેના વધતા દરને કારણે, પાછળથી 31 જુલાઈ 2023 ના રોજ તેને મોનિટરિંગ સિગ્નલથી વેરિઅન્ટ V-23JUL-01 સુધી વધારવામાં આવ્યું. તેના નામકરણથી અમને તેના લક્ષણો અને અસરોના વિગતવાર અભ્યાસમાં મદદ મળી છે.

UKHSA ની રેસ્પિરેટરી ડેટામાર્ટ સિસ્ટમ દ્વારા નોંધાયેલા 4,396 શ્વાસના નમૂનાઓમાંથી 5.4  ટકા કોવિડ-19 માટે પોઝિટિવ આવ્યા હતા, જે અગાઉના અહેવાલમાં 4,403 માંથી 3.7 ટકા હતા.

UKHSA વેક્સિનેશન વડા ડૉ. મેરી રામસેએ કહ્યું કે અમે આ અઠવાડિયે નોંધાયેલા COVID-19 કેસોમાં વધારો જોઈ રહ્યા છીએ. અમે મોટાભાગના વય જૂથો, ખાસ કરીને વૃદ્ધો માટે હોસ્પિટલની મુલાકાતોમાં થોડો વધારો જોયો છે. જો કે, દર્દીઓને દાખલ કરવાની ઝડપ ઓછી છે અને હાલમાં અમને ICUમાં દર્દીઓને દાખલ કરવાની કોઈ શક્યતા દેખાતી નથી. અમે દરેક વસ્તુ પર નજીકથી નજર રાખીશું

તેમણે આગળ કહ્યુ કે, નિયમિત અને પુરી રીતે હાથ ધોવાથી તમને  કોવિડ-19 અને અન્ય વાયરસથી બચવામાં મદદ મળશે. જો તમને શ્વાસ સંબંધિત તકલીફ છે તો બીજાથી દુર રહેવાની અમારી સલાહ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બે અઠવાડિયા પહેલા EG.5.1 વેરિઅન્ટનું મોનિટરિંગ શરૂ કર્યું હતું. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે પણ કહ્યું હતું કે વેક્સીનને કારણે લોકો એકદમ સુરક્ષિત છે, પરંતુ કોઈ પણ દેશે કોરોના સામેની લડાઈ અને તકેદારી ઓછી કરવી જોઈએ નહીં.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.